રાજ્ય સરકારની મધ્યાહન ભોજન યોજના મુજબ ભોજન બનાવી શાળામાં જ બાળકોને પીરસવામાં આવતું હોય છે. જેના માટે સરકાર દ્વારા અનાજની ફાળવણી કરવામાં આવતી હોય છે. જો કે મહેસાણામાં મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સરકારી અનાજની ગોલમાલ સામે આવી છે. વિજાપુરના ૪ મધ્યાહન ભોજન કેન્દ્રોમાં અનાજની ઘટ મળી હોવાનું સામે આવ્યુ છે. મામલતદારની ટીમ દ્વારા વિજાપુર સેકન્ડરી સ્કૂલ, મણીપુરા, હાથીપુરા, લાડોલ કેન્દ્રોમાં તપાસ કરવામાં આવી હતી. ત્યારે મહેસાણા જિલ્લાના વિજાપુરના આ ૪ મધ્યાહન ભોજન કેન્દ્રમાં ઘઉં, ચોખા, દાળ, તેલની કુલ ૧ હજાર ૯૦ કિલોની ઘટ મળી આવી છે. મામલતદારની ટીમે કરેલી તપાસમાં આ બાબત સામે આવતા નોટિસ આપવામાં આવી છે. જે પછી સંચાલક કામિની પટેલ અને અક્ષય પટેલને નોટિસ આપવામાં આવી છે.
આ ૮ વિદ્યાર્થીઓનો મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાશે ભવ્ય સન્માન સમારોહ
વર્ષ ૨૦૨૪-૨૫માં યુપીએસસીની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાંથી કુલ ૨૫ વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા છે, જેમાંથી સરદારધામ સંચાલિત સિવિલ સર્વિસ સેન્ટરમાંથી તાલીમ મેળવી...
Read more