બનાસકાંઠામાં જમીન વિવાદ મુદ્દે થયેલી બબાલે પોલીસને દોડતી કરી દીધી છે. ખરેખરમાં અહીં જિલ્લાના દિયોદરમાં ભાડૂતો ગુંડાઓએ આખા ગામમાં આતંક મચાવી દીધો અને ત્રણ લોકો પર જીવલેણ હુમલો કરીને ફરાર થઇ ગયા હતા, આ મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી પ્રમાણે, બનાસકાંઠા જિલ્લામાં દિયોદરના કોટડા ગામમાં એક જમીનને લઇને વિવાદ વકર્યો હતો. ગામમાં આ વિવાદને લઇને ભાડૂતી ગુંડાઓ બોલાવવામાં આવ્યા હતા, જેમાં ૬ મહિલાઓ સહિત ૧૨ જેટલા શખ્સો કાળા કપડાં પહેરીને અચાનક ગામમાં આવી ગયા અને આતંક મચાવવાનો શરૂ કરી દીધો હતો. આ લોકોએ ગામના જ ત્રણ લોકો પર જીવલેણ હુમલો પણ કર્યો હતો. આ ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે, આમ કર્યા બાદ આ લોકો નાસી છૂટ્યા હતા, ભાડૂતી ગુંડાઓના આતંકથી આખા ગામમાં ફફડાટ ફેલાયો છે, હાલ આ મામલે દિયોદર પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે.
ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકમાં દિવ્યાંગો,૮૦ વર્ષથી મોટી ઉંમરના વડીલોને વાહનની સુવિધા મળશે
સુવિધા માટે ૦૭૯૨૯૦૯૩૩૭૪/૦૭૯૨૩૨૫૯૦૭૪ નંબર જાહેર કરાયો ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર ૦૭,મેના રોજ મતદાન થશે. આ અવસરે ગાંધીનગર ઉત્તર...
Read more