• Latest
  • Trending

યુગપત્રી : જો બન સકે તુ હમસફર મેરા !!

7 years ago

ઈન્ડોનેશિયામાં પૂર પ્રકોપને લીધે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

2 years ago

‘ઉમરાવ જાન અદા: ધ વેસ્ટન્ડ મ્યુઝિકલ’ ઇતિહાસ રચશે, જેનું પ્રીમિયર અમદાવાદના એક ઓપન થિયેટરમાં યોજાયું હતું

2 years ago

અમદાવાદ શીશીગૃહ પાલડીમાં રહેતા અનવીતને મળ્યા માતા-પિતા

2 years ago

કોન્ફેડરેશન ઓફ વુમન આંત્રપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા (COWE) દ્વારા સ્વાભિમાન મેલા “નારી પ્રાઇડ & પાવર” 2024નું આયોજન

2 years ago

Samsung Expands its Retail Presence in Bengaluru; Inaugurates its Second Premium Experience Store inThe Mall of Asia

2 years ago

જાણીતા ડેવલોપર્સ સ્વરા ગ્રુપે સફળતાને સેલિબ્રેટ કરવા માટે ‘સ્વરોદય’ કાર્યક્રમનું આયોજન

2 years ago

Calorx Olive International School એ કલા, વિજ્ઞાન,ગણિત તથા ઇતિહાસના પ્રોજેક્ટ ઘ્વારા વિધાર્થીઓના વિકાસમાં ઉમેરો કર્યો

2 years ago

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા સ્કૂલના નિર્માણ માટે ‘મ્યુઝિકલ કોમેડી શો વિથ સાઈરામ દવે’ લાઈવ કોન્સર્ટનું આયોજન થયું

2 years ago

પેકેજિંગ ઇન્ડસ્ટ્રી માટે ક્રાંતિકારી પ્લેટફોર્મ એટલે ઇનપેકેજિંગ

2 years ago

પ્રેક્ષકોની હૂંફ અને પ્રશંસા મને એક કલાકાર તરીકે મારી સીમાઓને આગળ ધપાવવા માટે પ્રેરિત કરે છે : રોનક કામદાર

2 years ago

મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા ભુજમાં લગભગ 2000 મહિલાઓ સુધી નિદાન સેવાઓ પહોંચી

2 years ago

Valvoline™ ગ્લોબલ ઇન્ડિયા એ  ‘મિકેનિક્સ મેક ધ વર્લ્ડ બેટર’ થીમ સાથે મિકેનિક્સના મંથ કેમ્પેઇનની ચોથી એડિશનની શરૂઆત કરી

2 years ago

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર મહાનગર પાલિકાના સહયોગથી “ઉષા પર્વ – ચતુર્થ ઉદગમ્ મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન

2 years ago
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Monday, March 30, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • Login
Khabarpatri
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result

યુગપત્રી : જો બન સકે તુ હમસફર મેરા !!

KhabarPatri News by KhabarPatri News
January 4, 2019
in યુગપત્રી, લેખ
0

મિત્રો,ગઈ યુગપત્રીમાં આપણે જોયું કે જ્યારે માણસના મગજમાંથી પુર્વગ્રહો દૂર થાય ત્યારે એને એનું ખોવાયેલું સપનું પાછું મળે છે એના જીવનમાંથી આનંદના સુર રેલાય છે. હવે જોઈએ આગળ,

એકવાર માણસના મગજમાંથી કોઈ શું કહેશે એ ભય દૂર થઈ જાય એટલે એનું મગજ પોતાના સપનાને પુરા કરવા માટે પ્રયત્ન કરશે અને એ માટે એ નવું નવું વિચારશે. જેનાથી એને પોતાનું ધ્યેય પુરુ કરવામાં ઝડપ થશે. આકાશ એ વિશાળતા નું પ્રતીક છે, નિર્મળતાની નિશાની છે. જેવી રીતે ખુલ્લા આકાશમાં અનેક વાદળો આવેલા હોય છે એવી રીતે માણસમાં મગજમાં પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે અનેક વિચારો આવે છે. આ વિચારો પોઝિટિવ સકારાત્મક હોવા ખુબ જરૂરી છે. પોઝિટિવ વિચારોને કારણે માણસના મન અને મગજને પોષણ મળે છે અને એ ખુબ ઝડપથી પોતાના લક્ષ્ય તરફ ગતિ કરે છે. માણસના મનમાં રહેલા નેગેટિવ વિચારોએ શિયાળામાં જોવા મળતા ધુમ્મસ જેવા હોય છે. જે જગ્યાએ ધુમ્મસ હોય ત્યાં કાંઈ દેખાય નહિ એવી રીતે જે માણસમાં મનમાં નેગેટિવ વિચારો હોય એને પોતાનું લક્ષ્ય ચોખ્ખું દેખાતું નથી. માટે સૌથી પહેલા આ ધુમ્મસને દૂર કરવો ખુબ જરૂરી છે. પણ આપણને એમ થાય કે આ ધુમ્મસને દૂર કેવી રીતે કરવો.!? આપણે બધાએ જોયું છે કે શિયાળામાં જ્યાં સુધી સૂર્યોદય નથી થતો ત્યાં સુધી ધુમ્મસ પોતાનું સામ્રાજ્ય જમાવી રાખે છે પણ જેવા સૂર્યના કિરણો આ પૃથ્વી પર પડે ને તરત ધુમ્મસ દૂર થવા લાગે છે એમ આ નેગેટિવ વિચારોના ધુમ્મસને દૂર કરવા માટે આપણે મનમાં સકારાત્મક વિચારોનો સૂર્ય ઉગાડવો પડશે. જેના કિરણો પડતા જ નકારાત્મક વિચારો જતા રહેશે.

એક વાત તો સાફ છે કે આપણે જેવું વિચારશું એવા થઈ જઈશું. જો આપણે એમ વિચારશું કે આ દુનિયામાં કાંઈ સારું છે જ નહીં.મારી પર જ કેમ બધી મુસીબતો આવે છે.!? શા માટે મારી સાથે જ આવું થાય છે.!? દર વખતે કેમ હું જ આવી મુસોબતોનો શિકાર બનું છું.!? તો ચોક્કસપણે આપણે દુઃખી જ થઈશું. પણ જ્યારે આપણે એવું વિચારવાનું ચાલુ કરીશું કે હા,હું એ કરી શકીશ.! હું મારા કાંડાના કૌવતે બધું સરખું કરી દઈશ તો આપણી સાથે બધું સારું જ થવા લાગશે.આપણે એવો વિશ્વાસ રાખીશું કે હું ગમે એવી મુસીબતનો સામનો કરી શકું છું તો આપણે બહુ હેરાન નહિ થઈએ.અને આપણને આપણું લક્ષ્ય મેળવવામાં કોઈ તકલીફ નહી પડે.માટે એવું લખવું પડે કે,

धुंआ छटा खुला गगन मेरा,

આપણને એમ થાય કે આમાં લખે છે કે खुला गगन मेरा તો શું અત્યાર સુધી આપણા આકાશને કોઈએ બાંધી રાખ્યુ હતું કે શું..!? હા,આપણું આકાશ બંધાયેલુ હતું :-નેગેટિવ વિચારોથી. આપણે જાતે કરીને આપણને નેગેટિવ વિચારોના પીંજરામાં પુરી લીધા હતા.પણ પોઝિટિવ વિચારોના પ્રચંડ પ્રહારે એ પીંજરું તોડીને આપણને આઝાદ કર્યા અને એકવાર આપણે આઝાદ થઈએ પછી શું થાય તો કે,

नयी डगर नया सफ़र मेरा,

આપણને ધ્યેય પૂરું કરવા માટે નવા નવા રસ્તા મળે છે.આપણે ધ્યેયને પુરી કરવા માટે એક નવી,ઉર્જા સભર યાત્રા ચાલુ કરીએ છીએ અને આપણાં લક્ષ્ય તરફ ગતિ કરવાનું ચાલુ કરીએ છીએ.હવે બને છે એવું કે જ્યારે કોઈ યાત્રા ચાલુ થાય ત્યારે ઘણી વાર એ સમૂહમાં થતી હોય છે.એના માટે લોકોને ભેગા કરવાના હોય છે પણ અહીં એવું થતું નથી.અહીં તો એવું કહે છે કે,

जो बन सके तू हमसफ़र मेरा,
नज़र मिला ज़रा.

હા,અહીં એવું કહે છે કે હું કહું છું એટલા માટે નહીં..! પણ જો તું મારો હમસફર બની શકે તો ચાલ.નજર મિલાવ. મારી આંખોમાં રહેલું ઝનૂન જો અને જો તને સાથે આવવાની ઈચ્છા થાય તો જ તું આવ. આવું એટલા માટે કહેવું પડે છે કે ક્યારેય આપણે યાત્રામાં સાથે લીધેલા વ્યક્તિઓ જો થકી જાય તો આપણે પણ યાત્રા અધૂરી રાખીને એની સાથે પાછું આવતું રહેવું પડે છે.આવું ના થાય અને આપણે આપણી મંજિલ સુધી પહોંચીએ એટલા માટે પહેલેથી જ એને ચોખવટ કરી દેવાની હોય છે કે,

सफ़र में धूप तो होगी जो चल सको तो चलो,
सभी हैं भीड़ में तुम भी निकल सको तो चलो ।
कहीं नहीं कोई सूरज, धुआँ धुआँ है फ़िज़ा,
ख़ुद अपने आप से बाहर निकल सको तो चलो । ( निदा फाजली )

હા, કે મારી સાથે ચાલવામાં મુશ્કેલીઓ બહુ આવશે જો તમારી ઈચ્છા હોય તો મારી સાથે ચાલો,આ દુનિયાએ બનાવેલા નિયમો કે રસ્તા પર હું નહીં ચાલુ ! ,હું તો મારો રસ્તો પોતે બનાવીશ. જો તમારામાં આ દુનિયાએ બનાવેલા રસ્તાથી અલગ થઈને કંઈક હટકે કરવાની ઈચ્છા હોય તો મારી સાથે ચાલો, ઘણીવાર એવું બનશે કે આપણને એવું લાગશે કે હવે સફળ થવાની કોઈ ચાન્સ જ નથી, ક્યારેક ક્યાંય આશાનું એક કિરણ જોવા નહીં મળે, નેગેટિવ વિચારો ચારે તરફથી ઘેરી લેશે ત્યારે હવે મારાથી આ નહિ થાય એવી તમારી પોકળ માન્યતાઓમાંથી નીકળી શકો એમ હોય તો ચાલો મારી સાથે. આમ આપણી સાથે ચાલવાવાળો જો મક્કમ મનોબળ વાળો હોય તો જ એ આવશે માટે એવું લખાય કે,

जो बन सके तू हमसफ़र मेरा,
नज़र मिला ज़रा.

પણ સવાલ એ છે કે આવા ખુમારી ભરેલા શબ્દો નીકળે ક્યારે તો કે જ્યારે આપણે રોશનીની રૂબરુ થઈએ ત્યારે,જ્યારે આપણે કંઈક કરી છુટવાની તમન્ના ધરાવતા હોય ત્યારે…….

માટે એવું કહેવું પડે કે,

.
रू-बा-रू रौशनी हेय..

વધુ આવતા શુક્રવારે….

કોલમિસ્ટ:- યુગ અગ્રાવત

 


Tags: ArticleYug AgrawatYugPatri
Previous Post

ટેકાના ભાવે ૧૧૮૯ કરોડની મગફળીની ખરીદી થઈ ચુકી

Next Post

રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાની ભવ્યરીતે શરૂઆત

Next Post

રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાની ભવ્યરીતે શરૂઆત

ગાંધીજીની દુર્લભ તસ્વીરનું ગુજરાતમાં અનોખુ પ્રદર્શન

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Ad

  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Call us: +91 99251 19651

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

Social icon element need JNews Essential plugin to be activated.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri