કોરોનાનું સંક્રમણના નવા કેસમાં લગભગ ૪૦ ટકા જેટલો થયો ઉછાળો

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

દેશમાં હવે કોરોનાનું સંક્રમણ પાછું વધવા લાગ્યું છે જે ચિંતાજનક છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા કેસમાં ૪૦ ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો છે. એક દિવસમાં નવા ૫૨૩૩ કોવિડ કેસ નોંધાયા છે.

દેશમાં રસીકરણ અભિયાન પણ પૂર જોશમાં ચાલુ છે. અત્યાર સુધીમાં કોરોના રસીના ૧,૯૪,૪૩,૨૬,૪૧૬ ડોઝ અપાયા છે. જેમાં ગઈ કાલે અપાયેલા ૧૪,૯૪,૦૮૬ ડોઝ પણ સામેલ છે. નવા કેસમાં લગભગ ૪૦ ટકા જેટલો માતબાર ઉછાળો જોવા મળતા ચિંતા ઊભી થઈ છે. આ અગાઉ ગઈ કાલે કોરોના વાયરસના નવા ૩૭૧૪ નવા કેસ નોંધાયા હતા.

જ્યારે સોમવારે ૬ જૂનના રોજ ૪૫૧૮ અને રવિવારે ૫ જૂને ૪૨૭૦ કેસ નોંધાયા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૫૨૩૩ દર્દીઓ નોંધાયા છે. જ્યારે ૭ દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે. હાલ દેશમાં કોરોનાના ૨૮,૮૫૭ દર્દીઓ સારવાર હેઠળ છે. ભારત દેશના ગુજરાત રાજ્યમાં પણ ધીમી ગતિથી કોરોનાના કેસ વધી રહ્યા છે. ગઈ કાલે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ નવા ૭૨ કેસ નોંધાયા છે જેમાંથી ૪૪ કેસ તો અમદાવાદમાં નોંધાયા છે. રાજ્યમાં કાલે કોરોનાથી એક પણ મૃત્યુ નોંધાયું નથી. જો કે જે રીતે ધીમી ગતિથી કેસ વધે છે તે જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આજથી રેલવે સ્ટેશન અને ગીતા મંદિર એસટી ડેપો ખાતે કોરોના ટેસ્ટિંગ ડોમ શરૂ કર્યા છે.

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્‌ડ રેકોર્ડમાં નોંધાઈ ગયું

Share This Article