દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા, ઓરંગા નદીમાં ઘોડા પૂર આવતા 40 ગામનો સંપર્ક કપાયો, નેશનલ હાઇવે 48 પર પાણી ભરાયા

Rudra
By Rudra 2 Min Read

વલસાડ : વલસાડમાં ભારે વરસાદથી ઓરંગા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ૪૦ ગામને જાેડતો કૈલાસ બ્રિજ અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. લોકોને બ્રિજ પર અવરજવર ન કરવા તંત્રની અપીલ કરી છે. મામલતદાર, પોલીસ સહિતની ટીમો સ્થળ પર હાજર રહી લોકોને અવરજવર ન કરવાની અપીલ કરી રહી છે. સમગ્ર જિલ્લામાં ભારે વરસાદને લઈ ધમરપુરની તાન, માન, અને લાવરી નદીમાં ઘોડાપુર આવ્યા હતા. ધમરપુરના કાંગવી શેરીમાળનો પુલ અને સીદુમ્બર ભટાડી ફળિયાનો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ધરમપુરના બામટી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને જાેડતો પુલ, આંબોસી ભવઠાણનો પુલ, ભેસધરા લાવરીનો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેના કારણે ગ્રામજનોનું જનજીવન ખોરવાઈ ગયું હતું. વલસાડમાં ભારે પવન સાથે પડેલ વરસાદે ભારે નુકસાન કર્યું હતું. વલસાડના ગુંદલાવ નજીક પાર્ક કરેલ વાહનો પર વૃક્ષ પડ્યું હતું. પોલીસ ચોકીની સામે પાર્ક કરેલ વાહનો પર વૃક્ષ પડતા વાહનોમાં ભારે નુકસાન થવા પામ્યું હતું. ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે ઘટના બની હતી.

ભારે વરસાદને કારણે વલસાડમાં ઘણી જગ્યાએ વૃક્ષ ધરાશાયી થવા પામ્યા હતા. ગુંદલાવ નજીક પાર્ક કરેલ વાહન પર વૃક્ષ પડ્યું હતું.વૃક્ષ પડતા ૯ થી ૧૦ વાહનોને ભારે નુકસાન થવા પામ્યું હતું. વલસાડ નેશનલ હાઈવે પણ પ્રભાવિત થયો હતો. નેશનલ હાઈવે ૪૮ પર પાણી ભરાયા હતા. રાહદારીઓ, વાહન ચાલકો પરેશાન થવા પામ્યા હતા. પ્રિ-મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થવા પામ્યા હતા. ખારવેલ પાસે બનેલો કોઝવે પણ એક સાઈડ બેસી જવા પામ્યો હતો. જ્યારે ઔરંગા નદીની ભયનજક સપાટી સુધી પહોંચી હતી.

મહત્વનું છે કે, ભારે વરસાદને લઈ નેશનલ હાઈવે પ્રભાવિત થયો હતો. વલસાડતી પસાર થતો નેશનલ હાઈવે પર ઘુંટણ સુધી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હતા. વલસાડના કુંડી સરોન ગામ વચ્ચે નેશનલ હાઈવે ૪૮ પર વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા.

Share This Article