મધ્યપ્રદેશ ટુરિઝમ દ્વારા ગુજરાતના પ્રવાસીઓ માટે નવા પ્રવાસન સ્થળોની કે જાહેરાત કરી

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read
oplus_0

અમદાવાદ :મધ્યપ્રદેશ પ્રવાસન બોર્ડ દ્વારા રાજ્યની પ્રવાસન ક્ષમતા પ્રદર્શિત કરવા અને રાજ્યમાં વધુને વધુ પ્રવાસીઓને આકર્ષવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદમાં ટ્રાવેલ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોડ શોમાં રાજ્યની સમૃદ્ધ સંસ્કૃતિ, કલા, વન્યજીવન અને મુખ્ય પ્રવાસન સ્થળોને વ્યાપકપણે પ્રમોટ કરવામાં આવ્યા હતા. ગુજરાતના ટ્રાવેલ એજન્ટ્સ અને ટુર ઓપરેટરો મળી નવા પ્રવાસન ઉત્પાદનો અને સેવાઓના વિકાસ, માર્કેટિંગ વ્યૂહરચના અને પરસ્પર સહકાર માટેની તકો અંગે ચર્ચા કરી.

પ્રવાસન અને સંસ્કૃતિ વિભાગના અગ્ર સચિવ અને મધ્યપ્રદેશ ટૂરિઝમ બોર્ડના મેનેજિંગ ડિરેક્ટર શિવ શેખર શુક્લાએ જણાવ્યું હતું કે માનનીય મુખ્યમંત્રી ડો. મોહન યાદવના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં પ્રવાસનને વિકસાવવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો, સ્થાનિક રોજગાર સર્જન, પર્યાવરણ સંરક્ષણ તેમજ પ્રચાર પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં યોજાયેલા રોડ શોમાં મધ્યપ્રદેશની વિવિધતાઓને સુંદર રીતે રજૂ કરવામાં આવી હતી. આમાં રાજ્યના સાંસ્કૃતિક વારસા, પરંપરાગત કલા સ્વરૂપો અને અહીંના વન્યજીવ અભયારણ્યોની વિશેષતાઓ પર વિશેષ ધ્યાન આપ્યું હતું. મુખ્ય પ્રવાસન સ્થળો જેમ કે ખજુરાહોના ઐતિહાસિક મંદિરો, સાંચીના સ્તૂપ, પચમઢીનું પ્રાકૃતિક સૌંદર્ય અને કાન્હા અને બાંધવગઢના પ્રખ્યાત ટાઈગર રિઝર્વનો પણ વ્યાપકપણે પ્રચાર કરવામાં આવ્યો હતો. રોડ શોના માધ્યમથી રાજ્યના વિવિધ કાર્યક્રમો જેમ કે 100મો તાનસેન મ્યુઝિક ફેસ્ટિવલ, 51મો ખજુરાહો ડાન્સ ફેસ્ટિવલ અને મહાકાલેશ્વર શાહી સવારીની માહિતી પણ આપવામાં આવી હતી. આ ઝુંબેશનો ઉદ્દેશ્ય માત્ર સ્થાનિક જ નહીં પરંતુ વિદેશી પ્રવાસીઓને પણ રાજ્યની અનોખી સંસ્કૃતિ અને પ્રવાસન સ્થળો તરફ આકર્ષિત કરવાનો હતો, જેનાથી મધ્યપ્રદેશને મુખ્ય પ્રવાસન સ્થળ તરીકે સ્થાપિત કરવામાં આવી શકે. 

ઑફબીટ ગંતવ્યોનો કર્યો પ્રચાર 

રોડ શોમાં રાજ્યના પરંપરાગત પ્રવાસન સ્થળોની સાથે ઓફબીટ સ્થળોનો પણ પ્રચાર કરવામાં આવ્યો હતો. આ સ્થળો ધમાલથી દૂર છે અને કુદરતની નજીક સ્થિત છે, જેમ કે તામિયા, મંદસૌર, ચંદેરી, શિવપુરી, અમરકંટક વગેરે. આ સ્થળોની મુલાકાત લઈને પ્રવાસીઓ શાંતિ અને પ્રકૃતિની ગોદમાં સમય વિતાવી શકે છે. ઓફબીટ સ્થળોને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ્ય રાજ્યમાં પ્રવાસનના નવા આયામો ખોલવાનો અને પ્રવાસીઓને નવા અનુભવો આપવાનો છે.

બી2બી બેઠકોભાગીદારી પર મૂકવામાં આવ્યો ભાર

રોડ શો દરમિયાન, પ્રવાસન બોર્ડ, પ્રવાસન નિગમના અધિકારીઓ દ્વારા ટ્રાવેલ એજન્ટો, ટૂર ઓપરેટરો અને અન્ય સંબંધિત હિતધારકો સાથે બી2બી (બિઝનેસ ટુ બિઝનેસ) બેઠકો યોજવામાં આવી હતી. આ બેઠકોનો ઉદ્દેશ્ય રાજ્યમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે સહકાર અને ભાગીદારીને મજબૂત કરવાનો હતો. આ બેઠકોમાં, મધ્યપ્રદેશના પ્રવાસન સ્થળો, જવાબદાર પ્રવાસન મિશન, મહિલાઓ માટે સલામત પ્રવાસન પ્રોજેક્ટ, હોમસ્ટે યોજના અને ઓફબીટ સ્થળો વિશે માહિતી શેર કરવામાં આવી હતી.

Share This Article