અપોલો ફિમેલ એસ્થેટિક સ્ટુડિયોમાં ‘ફેમરિજુવેનેટ થેરાપી’ની શરૂઆત

Rudra
By Rudra 3 Min Read

અમદાવાદ : અપોલો હોસ્પિટલ્સ અમદાવાદ દ્વારા અપોલો ફિમેલ એસ્થેટિક સ્ટુડિયો લોન્ચ કરવામાં આવ્યો છે, જે ‘ફેમરિજુવેનેટ થેરાપી’ પ્રદાન કરતો રાજ્યનો પ્રથમ સ્ટુડિયો છે, યોનિમાર્ગના સ્વાસ્થ્યના પુનઃસંચાર અને સ્ત્રીઓમાં લાંબાગાળે આત્મીયતા, સુખાકારી અને આત્મવિશ્વાસ વધારવાની અસરકારક સારવાર પ્રદાન કરશે.

‘ફેમરિજુવેનેટ થેરાપી’ અદ્યતન રેડિયો ફ્રિકવન્સી એનર્જી અને લેસર ટેક્નોલોજીના થર્મીવા (ThermiVa) અને લાયરા (LYRA) સોલ્યુશનને જોડે છે, જે આત્મીય સુખાકારી માટે અસાધારણ પરિણામો આપે છે. સ્ત્રીઓ હવે યોનિમાર્ગના કાર્ય અને સૌદર્યની પુનઃપ્રાપ્તિ માટે શસ્ત્રક્રિયા વગર પીડારહિત અભિગમનો અનુભવ કરી શકશે.

અપોલો હોસ્પિટલ્સ અમદાવાદના એડવાન્સડ ગાયનેકોલોજી એન્ડ ફર્ટિલિટીના ડાયરેક્ટર ડૉ વિનીત મિશ્રાએ જણાવ્યું હતું કે,”યોનિમાર્ગના પુનઃ શક્તિ સંચારની સારવાર માત્ર સૌદર્ય શાસ્ત્ર વિશે જ નથી, તે બાહ્ય જનનેદ્રિયોના દેખાવ અને અનુભૂતિને નોંધપાત્ર રીતે વધારી શકે છે. આ સારવાર નોંધપાત્ર કાર્યલક્ષી સુધારાઓ પ્રદાન કરે છે, જે મહિલાઓને તેમના અંતગ જીવનમાં વિશ્વાસ પુનઃપ્રાપ્ત કરવામાં મદદ કરે છે.”

અપોલો હોસ્પિટલ્સ અમદાવાદના સીઓઓ શ્રી નીરજ લાલે જણાવ્યું હતું કે, “અપોલો ફિમેલ એસ્થેટિક સ્ટુડિયોનું લોન્ચિંગ મહિલાઓની જરૂરિયાતો પ્રમાણે નવીન હેલ્થકેર સોલ્યુશન પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. ‘ફેમરિજુવેનેટ થેરાપી’ આત્મીય સુખાકારી અને વ્યક્તિગત સશક્તિકરણને નવા સ્તર પર લઇ જાય છે, અપોલો હોસ્પિટલ્સ અમદાવાદ ખાતે સર્વગ્રાહી નિરાકરણ પ્રદાન કરવા બદલ અમને આનંદ થાય છે.”

‘ફેમરિજુવેનેટ થેરાપી’ પીડારહિત, બિન-આક્રમક સારવાર છે, કોઇ પણ ડાઉનટાઇમ અથવા સર્જિકલ હસ્તક્ષેપ વિના અને ‘પ્રી-અથવા પોસ્ટ ઓપ’ની કોઇ ખાસ તૈયારીની જરૂર નથી. આ થેરાપીના મુખ્ય ફાયદા યોનિમાર્ગની ચુસ્તતા અને લ્યુબ્રિકેશન છે, જે જાતિય સંબંધને સુધારવામાં મોટા પ્રમાણમાં ફાળો આપે છે. યોનિમાર્ગના પુનઃ શક્તિ સંચારની સારવાર નવા, સ્વસ્થ અને વધુ સંવેદનશીલ યોનિમાર્ગની પેશીઓના વિકાસને ઉત્તેજીત કરે છે.

વધુ મહિલાઓ તેમની આત્મીય સુખાકારી સુધારવા માંગે છે, તેથી યોનિમાર્ગના પુનઃ શક્તિ સંચારની સારવારની લોકપ્રિયતામાં વૈશ્વિક સ્તરે અને ભારતમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ટેક્નોલોજીમાં પ્રગતિ સાથે ‘ફેમરિજુવેનેટ થેરાપી’ જેવી સારવાર યોનિમાર્ગની શુષ્કતા, શિથિલતા અને પેશાબ સંબંધિત સમસ્યા કે જે ખાસ કરીને બાળકના જન્મ અથવા મેનોપોઝ પછી થાય છે તેને દૂર કરવા માટે વ્યાપક પણે સ્વીકારવામાં આવી રહી છે.

સ્ટુડિયો યોનિમાર્ગના પુનઃ શક્તિ સંચાર, હોર્મોનલ બેલેન્સ થેરાપી, પેલ્વિક ફ્લોર, રિહેબિલિટેશન, પોસ્ટપાર્ટમ રિકવરી પ્રોગ્રામ્સ, કન્સલ્ટેટિવ સર્વિસ, આત્મિય સુખાકારી માટે લેસર થેરાપી, વ્યાપક સુખાકારી મૂલ્યાંકન અને મૂત્રશાય નિયંત્રણ માટે બિન-સર્જિકલ સારવાર સહિતની વ્યક્તિગત જરૂરિયાતોને પૂર્ણ કરવા તૈયાર કરવામાં આવેલ નવીન ઉપચારની વિશાળ શ્રેણી પ્રદાન કરે છે.

અપોલો ફિમેલ એસ્થેટિક સ્ટુડિયો મહિલાઓના સ્વાસ્થ્ય અને સુખાકારીમાં પરિવર્તન લાવવા માટે તૈયાર છે. જે મહિલાઓને તેમની આત્મીય સુખાકારી પુનઃસ્થાપિત કરવા માટે યોગ્ય અને આરામદાયક વાતાવરણ પ્રદાન કરે છે.

Share This Article