ઈઝરાયેલે ભારતના લક્ષદ્વીપ ટાપુને લઈને જાહેરાત કરી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ માલદીવના મંત્રીઓની અપમાનજનક ટિપ્પણી બાદ બંને દેશો વચ્ચે રાજદ્વારી તણાવ વધી ગયો છે. હવે ભારતના મિત્ર ઈઝરાયેલે પણ માલદીવને અરીસો બતાવતા લક્ષદ્વીપની પ્રાકૃતિક સુંદરતાના વખાણ કર્યા છે. આ ઉપરાંત તેમણે લક્ષદ્વીપને લઈને પણ મોટી જાહેરાત કરી છે. ઈઝરાયેલે કહ્યું છે કે તે આવતીકાલથી આ કેન્દ્રશાસિત પ્રદેશમાં સમુદ્રના પાણીને શુદ્ધ કરવાના પ્રોજેક્ટ પર કામ શરૂ કરશે. ભારતમાં ઇઝરાયલી દૂતાવાસે તેના X હેન્ડલ પર લક્ષદ્વીપની કેટલીક તસવીરો શેર કરતા લખ્યું, ‘અમે ગયા વર્ષે ભારત સરકારના ડિસેલિનેશન પ્રોજેક્ટને શરૂ કરવાની વિનંતી પર લક્ષદ્વીપ ગયા હતા.. ઈઝરાયેલ આ પ્રોજેક્ટ પર કામ શરૂ કરવા માટે તૈયાર છે. આ તસવીરો એવા લોકો માટે છે જેઓ હજુ સુધી લક્ષદ્વીપની સુંદરતા જાેઈ શક્યા નથી. આ તસવીરોમાં આ ટાપુના મનમોહક અને આકર્ષક દ્રશ્યો જાેઈ શકાય છે. તમને જણાવી દઈએ કે આ આખો વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે માલદીવ સરકારના મંત્રી મરિયમ શિયુનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર પીએમ મોદી માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો. લક્ષદ્વીપની મુલાકાત બાદ વડાપ્રધાન મોદીએ તેમના એક્સ હેન્ડલ પરથી ત્યાંની પ્રાકૃતિક સુંદરતાના વખાણ કરતા કેટલીક તસવીરો શેર કરી હતી.

Share This Article