જમીન નવસાધ્ય કરવાની હેક્ટરદીઠ મદદ વધી ગઈ

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

અમદાવાદ : રાજ્ય સરકારે ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ ફાજલ થેયલી જમીનના લાભાર્થીને જમીન નવસાધ્ય કરવા હેક્ટરદીઠ અપાતી ૧૫૦૦૦ની સહાય વધારીને ૩૦૦૦ કરવામાં આવી છે તેમ મહેસુલ વિભાગના ઠરાવમાં જણાવાયું છે. ખેતીની જમીનના વિકાસ માટેનં ખર્ચ તથા ખેતીના સાધનો, જંતુનાશક દવાઓ, બિયારણ વગેરેની હાલની કિંમતમાં થયેલ વધારો ધ્યાનમાં લેતા આ રકમ અપુરતી હોવાથી ખરેખર જે જમીન નવસાધ્ય કરવા વર્ષ ૨૦૧૬-૧૭ના ધોરણો પ્રમાણે રૂપિયા ૧૫૦૦૦ની સહાય મેળવેલ નથી તેવા લાભાર્થીઓને સરકારે જાહેર કર્યા પ્રમાણે ૩૦૦૦૦ની આર્થિક સહાય ચુકવવામાં આવશે. સહાયની આ રકમનો ઉપયોગ લાભાર્થીને ફાળવવામાં આવેલી જમીનની કબજા હક્કની રકમની વસુલાત કામે કરી શકાશે નહીં. સધારેલી આ યોજના ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯થી અમલમાં આવે છે તેમ ઠરાવવામાં વધુમાં જણાવાયું છે.

Share This Article