સવારે ઉઠતા વેત કેટલું પાણી પીવું જોઈએ, જાણો શું કહે છે એક્સપર્ટ?

Rudra
By Rudra 2 Min Read

આપણી શરીર માટે પાણી ખબૂ જ જરૂરી તત્વ છે. જો પાણી યોગ્ય પ્રમાણમાં પાણી પીવામાં ન આવે તો શરીરમાં નુકસાન થાય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે, સવારે ઉઠીને સૌથી પહેલા તમારે શું કરવું જોઈએ? તેનો જવાબ છે પાણી પીવું જોઈએ. સવારમાં સવારમાં ઉઠીને સૌથી પહેલા પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

આખી રાત સૂવાથી આપણું શરીર ડિહાઇડ્રેટ (પાણીની ઉણપ) થઈ જાય છે. એવામાં સવારે ઉઠતા વેત પાણી પીવાથી આપણું શરીર રિફ્રેશ થઈ જાય છે.

તે શરીરના ટોક્સિંસ બહાર કાઢવામાં, એનર્જી આપવામાં અને દિવસની સારી શરૂઆતમાં મદદ કરે છે. પરંતુ હવે સવાલ એ છે કે, સવારે કેટલું પાણી પીવું જોઈએ?

એક્સપર્ટનું માનીએ તો સવારે ઉઠતાવેંત 1 થી 2 ગ્લાસ પાણી (200-400 મિલીલીટર) પીવું જોઈએ. તેનાથી શરીર ફરી હાઇડ્રેટ થઈ જાય છે. ડાઇઝેશન ઠીક રહે છે. મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે. શરીરના ટોક્સિન્સ બહાર નીકળે છે અને મગજ-શરીર અટેક્ટિવ રહે છે.

સવાર સવારમાં ઉઠતા વેત ક્યારેય ઠંડુ પાણી ન પીવું જોઈએ. તેના કરતા હળવું ગરમ પાણી કે રૂમનું તાપમાન જેટલું પાણી આપણી હેલ્થ માટે વધુ સારુ રહે છે.

સવારે પાણી પીવી સારી બાબત છે, પરંતુ એક સાથે વધુ પાણી પીવુ તે પણ યોગ્ય નથી. તેનાથી પેટમાં ગેસ કે બળતરા થઈ શકે છે. ધીમે ધીમે અને આરામથી પાણી પીવું જોઈએ. તેનાથી શરીરને વધુ ફાયદો થાય છે.

સવારે ઉઠતા વેત 1-2 ગ્લાસ પાણી પીવાની ટેવ ખૂબ જ હેલ્ધી આદત છે. તેનાથી તમારું શરુ હળવું અને એનર્જેટિક રહે છે.

 

Share This Article