ગુજરાત રાજય સંગઠન અને સરકારની પ્રયોગશાળા છે : જે.પી.નડ્ડા

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અમદાવાદમાં છે.

એરપોર્ટ પર સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપ્યા બાદ તેઓ સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા. હવે તેઓ કમલમ પર પહોંચી ગયા છે, જ્યાં તેમનું ઢોલ-નગારાં સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે.પી. નડ્ડાને ટોપી પહેરાવીને સ્વાગત કર્યું હતું. કમલમ પર વજુભાઈ વાળા, વિજય રૂપાણી, નીતિન પટેલ સહિતના નેતાઓ પહોંચી ગયાં હતા. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પેજ સમિતિનું મહત્ત્વ અને એને લઈ ઘર ઘર સુધી ભાજપ કંઈ રીતે પહોંચી શકે એનું મહત્ત્વ સમજાવ્યું હતું.

ગુજરાત ભાજપ સંગઠનની કામગીરીથી રાષ્ટ્રીય અધ્યક્ષને અવગત કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સામાન્ય કાર્યકરની કામગીરીની કદર કરી પક્ષ યોગ્ય સ્થાન આપે છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે,આજે ગુજરાત આવવાનું સૌભાગ્ય મળ્યું છે.

ભાજપના વરિષ્ઠ નેતાઓ અને તમામ સાંસદ, ધારાસભ્યોને મળ્યો, હવે કાર્યકર્તાઓ સાથે મળીશ. ભારતની રાજનીતિનો સવાલ છે ત્યારે ગુજરાતની ધરતી પક્ષ માટે પ્રયોગશાળા રહી છે.વડાપ્રધાન મોદી મહામંત્રી, રાષ્ટ્રીય સંગઠન મંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી રહ્યાં ત્યારે જાેવા મળ્યું છે કે ગુજરાતની છબી પણ વિશ્વ સ્તરે પ્રચલિત છે.

રાજનીતિમાં ભાજપે જાતિવાદ,પરિવારવાદની રાજનીતિને મોદીની વિકાસનીતિએ ટક્કર આપી છે. આજે એક જવાબદાર સરકાર છે અને રિપોર્ટ કાર્ડ જનતા વચ્ચે લઈને જઈએ છીએ. ગુજરાત ભાજપ સંગઠન અને સરકારની સાથે જનતા સાથેના જાેડાણ માટેની પ્રયોગશાળા રહ્યું છે.

ગુજરાત ભાજપ માટે એમ્બેસેડર છે. જ્યારે કોરોનામાં અમેરિકા અને યુરોપ લાચાર સમજતું હતું. ત્યારે બોલ્ડ ર્નિણયો કરીને વડાપ્રધાન મોદીએ લોકોને મહામારીમાંથી બહાર કાઢ્યાં. કોરોનામાં સમગ્ર વિશ્વમાં ઝડપથી અને વિશાળ વેક્સિનેશન સૌથી ઝડપી માત્ર ભારતમાં થયું છે.

કોરોના મહામારીમાં ભાજપે જ સેવા જ સંગઠન સુત્રથી કામ કર્યું છે. બાકીની પાર્ટીઓ ગ્રાસ રૂટ પર કામ નહોતી કરતી. ભારત હવે નિકાસનું હબ બની ગયું છે.નીતિ આયોગ પ્રમાણે ગુજરાત ફાઈનાન્શિયલ મેનેજમેન્ટમાં એક નંબરે છે.ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય અને સીઆર પાટીલના નેતૃત્વમાં પાર્ટી આગળ વધી રહી છે.

ગુજરાત સંગઠન અને સરકારની પ્રયોગશાળા છે જે દેશમાં પણ લાગુ કરી આગળ વધારીશું. વિકાસવાદના દૂત બનીને ગુજરાતને આગળ લઈ જઈશું. અમે સૌનો સાથ સૌના વિકાસની રાજનીતિ સાથે આગળ વધી રહ્યાં છીએ.વિપક્ષે મજબૂત થવું જાેઈએ. અમે પણ ઘણી જગ્યાએ વિપક્ષમાં છીએ.

જે. પી. નડ્ડાએ કહ્યું હતું કે જ્ઞાતિ વાદને છોડીને નરેન્દ્ર ભાઈએ ભારતને વિકાસવાદનું રાજકારણ આપ્યું, જેની શરૂઆત ગુજરાતમાંથી થઈ છે. કોરોનાકાળમાં ભારતે વિશ્વમાં સૌપ્રથમ બે વેક્સિનની શોધ કરી અને અઢીસો કરોડ જેટલા ડોઝ અપાયા છે. તેમણે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ પર નિશાન તાક્યું હતું. તેમણે કહ્યું હતું કે અખિલેશ જેને મોદી ટીકા કહેતા હતા એ જ રસી પોતે પણ ચુપચાપ લાગાઈ આવ્યા છે.

વિદેશના નાગરિકોને પણ પોતાના બચાવ માટે ભારતનો પવિત્ર રાષ્ટ્રઘ્વજ લગાવીને યુક્રેનની બહાર બચીને નીકળવું પડ્યું છે. ગુજરાતમાં અને ભારતમાં ચાલતી પ્રજાલક્ષી યોજનાનો સૌ સમાજ અને છેવાડાના લોકોને લાભ મળ્યો છે. વડાપ્રધાનની તમામ યોજનાનો લાભ ઘર ઘર સુધી પહોંચે એ જાેવાની જવાબદરી પેજ સમિતિની છે.

ભારત ગરીબીરેખામાંથી ૧૨ ટકા ઉપર આવ્યો છે, આ વર્લ્‌ડ બેંકનો રિપોર્ટ છે. આજે ચાર હજાર બિલિયનનું આપણે એક્સપોર્ટ કરતા થઈ ગયા છીએ.

Share This Article