અમદાવાદ : શહેરી ભારતમાં આપણા પૈકી ઘણાબધા લોકો માટે જ્યારે આર્થિક સુરક્ષાની વાત આવે છે ત્યારે હેલ્થ ઈન્સ્યોરન્સ સૌથી સારો ઉકેલ છે, જોકે હોસ્પિટલમાં દાખલ થવા અને મેડિકલ ખર્ચમાં સતત થઈ રહેલી વૃદ્ધિથી હેલ્થ ઈન્સ્યોરન્સ કવરની પર્યાપ્તતા પર પ્રશ્નો સર્જાઈ રહ્યા છે. આ વધી રહેલી ચિંતાઓ સર્વગ્રાહી હેલ્થકેર સોલ્યુશન્સ માટે જરૂરિયાતને જાહેર કરે છે. ફ્યુચર જનરલી ઈન્ડિયા ઈન્સ્યોરન્સ-#હેલ્થ અનલિમિટેડ દ્વારા કરવામાં આવેલ એક વિશેષ સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું છે કે વધી રહેલ મેડિકલ ખર્ચની સ્થિતિ વચ્ચે દરેક દસ પૈકી આઠ વિમાધારક તેમના હેલ્થ કવરની અસરકારકતા અંગે અનિશ્ચિતતાનો અહેસાસ કરે છે. આ સર્વેક્ષણ કે જે તાજેતરમાં 25 વર્ષથી વધુ ઉંમરના 800 વિમાકૃત વ્યક્તિઓ અંગે કરવામાં આવ્યું હતું, જેમાં વર્તમાન હેલ્થ ઈન્સ્યોરન્સ કવરેજની પર્યાપ્તતા અંગે વધી રહેલી ચિંતાઓને જાહેર કરવામાં આવી હતી.
ફ્યુચર જનરલીએ લોંચ કર્યો ‘હેલ્થ અનલિમિટેડ’, એક એવો હેલ્થ ઈન્સ્યોરન્સ કે જે આપે છે અમર્યાદિત લાભો

By
KhabarPatri News
1 Min Read
