ઢોસો બનાવતા પહેલા તવા પાણી કેમ છાંડવામાં આવે છે? સદીઓ જુની પરંપરા પાછળ રહેલું છે વિજ્ઞાન, IITના પ્રોફેસરે જણાવી હકીકત

Rudra
By Rudra 3 Min Read

સાઉથ ઇન્ડિયન ડિશ એટલે ઢોસા હવે નોર્થ ઈન્ડિયામાં પણ ખૂબ શોખથી ખવાય છે. તમે જોશો કે જગ્યાએ જગ્યાએ ઠેલાઓ પર કે રેસ્ટોરન્ટમાં વિવિધ પ્રકારના ઢોસા બનાવવામાં આવે છે, જે લોકોને ખૂબ પસંદ આવે છે. પરંતુ શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે ઢોસા બનાવતી વખતે દુકાનદાર તવા પર પાણી કેમ છાંટે છે? કદાચ તમે તેને રોજની પ્રક્રિયા સમજીને અવગણ્યું હશે. પરંતુ હકીકતમાં આ નાનકડી રીત સદીઓ જૂની પરંપરા છે, જે વિજ્ઞાન સાથે જોડાયેલી છે. આ બાબતે આઈઆઈટી મદ્રાસના પ્રોફેસરે પણ સમજાવ્યું છે કે આવું કેમ કરવામાં આવે છે. તો ચાલો, આ સિક્રેટ જાણીએ.

આઈઆઈટી મદ્રાસના પ્રોફેસર મહેશ પંચગ્નુલા કહે છે, “તવા પર પાણી છાંટવું એ લેડેનફ્રોસ્ટ ઈફેક્ટ (Leidenfrost Effect)ની તપાસ છે. તેની શોધ 18મી સદીમાં જર્મનીમાં થઈ હતી, પરંતુ ભારતીય રસોડામાં આ રીત સદીઓથી ચાલતી આવી છે.”

પ્રોફેસર મહેશ અનુસાર, “આ દાદી-નાનીની સમજ છે, જે ફિઝિક્સ પર આધારિત છે. જો તવો ઓછો ગરમ હોય તો પાણી ધીમે ધીમે વરાળ બને છે. જ્યારે 200 ડિગ્રીથી વધારે ગરમ તવા પર પાણીના ટીપા વરાળની પાતળી પરત પર તરતી રહે છે. આ પરત બેટરને તવાથી અલગ રાખે છે, જેથી બેટર સરળતાથી ફેલાય, કિનારા કરકરા બને અને ડોસો મધ્યમાં નરમ રહે.”

તેમણે આગળ જણાવ્યું, “બેટરના ફર્મેન્ટેશનથી નાના એર પોકેટ્સ બને છે, જે ગરમીથી ફૂલે છે અને ઢોસાને યોગ્ય ટેક્સચર આપે છે. યોગ્ય સ્પ્રેડિંગ ટેક્નિકથી ઢોસો પાતળો અને ક્રિસ્પી બને છે.”

દાદી-નાનીનું સિક્રેટ

દરેક રસોડામાં ઢોસો બનાવતી વખતે સૌપ્રથમ તવો ગરમ કરવામાં આવે છે અને પછી આંગળીઓથી બે-ચાર બૂંદ પાણી છાંટવામાં આવે છે. જો પાણી અવાજ સાથે તરત જ ઉડી જાય તો તવો તૈયાર છે. પરંતુ જો પાણીની બૂંદો એમની એમ રહે તો આંચ ઓછી કરવી જોઈએ. આ રીત પેઢી દર પેઢી ચાલી આવી છે. ખોટા તાપમાન પર ઢોસો ક્યારેક ચોંટે છે તો ક્યારેક કાચો રહી જાય છે.

તાપમાન કંટ્રોલ કેમ જરૂરી છે?

માહિતી અનુસાર, પહેલો ઢોસો બન્યા પછી તવો વધુ ગરમ થઈ જાય છે અને પછીનો બેટર બળવા લાગે છે. પાણી છાંટવાથી તાપમાન સંતુલિત થાય છે. યોગ્ય સમયે પાણી નાખવાથી તવો ઠંડો પડે છે અને ડોસામાં નાના-નાના છિદ્રો બને છે.

હેલ્થ બેનિફિટ્સ

ઢોસો ચોખા અને દાળથી બનતું ફર્મેન્ટેડ ફૂડ છે, જે પાચન પ્રક્રિયાને સુધારે છે અને વજન ઘટાડવામાં મદદરૂપ બને છે. આ ઉપરાંત, તવા પર પાણી છાંટવાની રીત તેલનો ઓછો ઉપયોગ કરાવે છે. પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર ડોસો એક હેલ્ધી નાસ્તો છે, જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે.

Share This Article