દેશે ૨૨ જાન્યુઆરીએ ફરીથી દિવાળીની ઉજવણી કરી હતી. ૫૦૦ વર્ષની રાહ જાેયા બાદ અયોધ્યાએ ફરી પોતાના રામના દર્શન કર્યા. અયોધ્યાના નવનિર્મિત રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા સંપૂર્ણ વિધિ-વિધાન સાથે સંપન્ન થઈ હતી. આ ઐતિહાસિક દ્રશ્ય માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વએ જાેયું. આ અવસર પર માત્ર અયોધ્યા જ નહીં પરંતુ સમગ્ર દેશ રામમય હતો. બધાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. સર્વત્ર જય શ્રી રામના નારા, ભગવા ઝંડા અને ફટાકડા જાેવા મળ્યા હતા. ભાજપે આ વાત મોદી માટે ગેરંટી તરીકે રજૂ કરી છે. ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ બાદ લોકોને સંબોધિત કરતી વખતે પીએમએ કહ્યું હતું કે બધું રામમાં જ છે. આ ક્ષણ અલૌકિક છે. આ ઘડીમાં આપણે બધા ભગવાન રામના આશીર્વાદ પામીએ છીએ. આ શ્રેણીમાં, મંગળવારે ગુજરાતના અમદાવાદના રાણીપ વિસ્તારમાં શ્રી રામજી મંદિરનું પુનર્નિર્માણ કાર્ય પણ પૂર્ણ થયું હતું, જેમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ભાગ લીધો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે કહ્યું હતું કે અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરના અભિષેક સમારોહથી લગભગ ૫૦૦ વર્ષ પહેલા મુઘલ શાસક બાબરના શાસન દરમિયાન લાગેલા ઊંડા ઘા રૂઝાયા છે. અમદાવાદમાં ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહમાં હાજરી આપવા આવેલા શાહે કહ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિરમાં ‘પ્રાણ પ્રતિષ્ઠા’ કરીને નોંધપાત્ર કામ કર્યું છે. સમગ્ર વિશ્વમાં ભગવાન રામના ભક્તો છેલ્લા ૫૦૦ વર્ષથી આ ક્ષણની રાહ જાેઈ રહ્યા હતા. તેઓ પૂછી રહ્યા હતા કે ભગવાન રામને તંબુમાંથી ભવ્ય મંદિરમાં ક્યારે બિરાજમાન કરવામાં આવશે. બાબરના જમાનામાં આપણા હૃદયમાં જે ઊંડો ઘા હતો તે ભૂંસી નાખ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે ૨૦૧૪ પહેલાની સરકારો દેશની સંસ્કૃતિ, ધર્મ અને ભાષાઓનું સન્માન કરવામાં ડરતી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં કહ્યું કે, ‘ઔરંગઝેબે કાશી વિશ્વનાથ મંદિરનો નાશ કર્યો હતો. મોદીએ જ આટલા વર્ષો પછી તેનું નવીનીકરણ કરાવ્યું અને ત્યાં કોરિડોર બનાવ્યો. બાબરે અયોધ્યામાં રામ મંદિરનો નાશ કર્યો હતો. હવે, ત્યાં એક રામ મંદિર બનાવવામાં આવ્યું છે અને વડાપ્રધાન મોદીએ જય શ્રી રામના નારાઓ વચ્ચે પ્રાણ પ્રતિષ્ઠા કરી છે..
iPhone લવર્સ માટે ખુશ ખબર !!! આજથી મેડ ઈન ઈન્ડિયા iPhone 16 નું વેચાણ શરુ……
ભારતભરમાં આઈફોન 16 સિરીઝ લોન્ચ, પ્રિ બૂકિંગ્સ શરૂ થયા Apple લવર્સ લાંબા સમયથી iPhone 16 સીરિઝની રાહ જોઈ રહ્યા છે....
Read more