સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના જગતમંદિર ખાતે આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ભગવાન દ્વારકાધીશના ચરણમાં શીશ નમાવ્યું હતું. મુખ્યમંત્રીએ દ્વારકાધીશની ચરણપાદુકાની પૂજા અને રાજભોગના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગુજરાતમાં આગામી ચોમાસામાં વરૂણદેવ મન મુકીને વરસે તેવી ભગવાન દ્વારકાધિશને પ્રાર્થના મુખ્યમંત્રીએ કરી હતી. તેમજ મુખ્યમંત્રીએ મંદિરના પરિસરમાં ઉપસ્થિત દર્શનાર્થીઓનું પણ અભિવાદન ઝીલ્યું હતું.
સરીન ફિલ્મ્સ દ્વારા “હીર ઔર રાંઝા” (હિન્દી) અને “સુખનાથ મોગરા ની વાતચીત” (ગુજરાતી) શોર્ટ ફિલ્મોનું સ્પેશિયલ સ્ક્રીનિંગ
અમદાવાદ સ્થિત સરીન ફિલ્મ્સે તાજેતરમાં નિર્મિત શોર્ટ ફિલ્મો "હીર ઔર રાંઝા" (હિન્દી) અને "સુખનાથ મોગરા ની વાતચીત" (ગુજરાતી) નું સ્પેશિયલ...
Read more