8મી જુલાઈના રોજ અમદાવાદના ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સક્સેસગુરુ એ.કે. મિશ્રા સાહેબે સિવિલ સર્વિસીસ પરીક્ષાની તૈયારી કરવા ઈચ્છુક ઉમેદવારોને જરૂરી માર્ગદર્શન આપી તેમની પરીક્ષા અંગેની શંકાઓ દૂર કરી હતી. આ સેમિનારમાં ચાણક્ય IAS એકેડેમીના સ્થાપક સક્સેસગુરુ એ.કે. મિશ્રા અને અમદાવાદ કેન્દ્રના મેનેજિંગ પાર્ટનર રાજન કરબતિયાએ ઉમેદવારોને માર્ગદર્શન આપ્યું હતું.
આ ઉપરાંત તેમણે પરીક્ષાના વિવિધ પાસાઓની ચર્ચા કરી અને ઉમેદવારોને યોગ્ય વૈકલ્પિક વિષય કેવી રીતે પસંદ કરવો, સમયનું અસરકારક રીતે સંચાલન કેવી રીતે કરવું અને પરીક્ષામાં મજબૂત લેખન કૌશલ્ય કેવી રીતે વિકસાવવું તે અંગે માર્ગદર્શન આપ્યું.
એ.કે. મિશ્રાએ જણાવ્યું કે ,” પ્રતિષ્ઠિત સિવિલ સર્વિસીસ પરીક્ષામાં પ્રવેશ મેળવવા માટે માત્ર સખત મહેનત જ નહીં પરંતુ સ્માર્ટ વર્કની પણ જરૂર છે.” દેશના 16 રાજ્યોમાં ચાણક્ય IAS એકેડમીના 25 કેન્દ્રો ખોલવામાં આવ્યા છે, જ્યાં ઉમેદવારો ખૂબ જ ઉત્સાહ સાથે UPSC અને GPSCની પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે અને સફળતા મેળવી રહ્યા છે.
સિવિલ સર્વિસીસ પરીક્ષામાં 5 હજારથી વધુ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે અને 15 હજારથી વધુ ઉમેદવારોની રાજ્ય સેવા આયોગમાં પસંદગી કરવામાં આવી છે. શ્રી એ.કે. મિશ્રા દેશના તમામ વિદ્યાર્થીઓ વચ્ચે સક્સેસ ગુરુ તરીકે ઓળખાય છે કારણકે તેઓ છેલ્લા 30 વર્ષથી સતત ઉમેદવારોને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરી રહ્યા છે. ચાણક્ય IAS એકેડેમી તમામ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ માર્ગદર્શન અને સહાય પૂરી પાડવા અને તેમને સિવિલ સેવક બનવાના તેમના સપનાને સાકાર કરવામાં મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે, જેને આગળ વધારવા માટે સંસ્થાએ ગુજરાતના અમદાવાદમાં પોતાની શાખા શરૂ કરી છે. UPSC માટે નવી બેચ 10મી જુલાઈથી અને GPSC માટે નવી બેચ 10મી ઓગસ્ટથી શરૂ થશે. વિદ્યાર્થીઓ વિનામૂલ્યે કાઉન્સેલિંગ માટે નારણપુરા ખાતે આવેલી અમદાવાદ શાખાની મુલાકાત લઈ શકે છે.
સરીન ફિલ્મ્સ દ્વારા “હીર ઔર રાંઝા” (હિન્દી) અને “સુખનાથ મોગરા ની વાતચીત” (ગુજરાતી) શોર્ટ ફિલ્મોનું સ્પેશિયલ સ્ક્રીનિંગ
અમદાવાદ સ્થિત સરીન ફિલ્મ્સે તાજેતરમાં નિર્મિત શોર્ટ ફિલ્મો "હીર ઔર રાંઝા" (હિન્દી) અને "સુખનાથ મોગરા ની વાતચીત" (ગુજરાતી) નું સ્પેશિયલ...
Read more