ભારત

આત્મશક્તિને શોધો: સ્નેહ દેસાઈ દ્વારા “Change Your Life” વર્કશોપ 4 વર્ષ બાદ ફરીથી અમદાવાદમાં

અત્યંત અપેક્ષિત 3 દિવસની ઇવેન્ટ 19મી, 20મી અને 21મી એપ્રિલ, 2024ના રોજ ક્લબ O7, અમદાવાદ ખાતે યોજાવા જઈ રહી છે…

ડેસ્ટિનેશન વેડિંગ માટે હવે KERALA પણ સૌની પસંદ બની રહ્યું છે .

અમદાવાદ: 2024માં નવી ઉંચાઈઓ સર કરવા તૈયાર, કેરલા ટુરિઝમે ઘરેલુ પ્રવાસીઓની સંખ્યા વધારવા માટેની પોતાની આક્રમક ઝુંબેશના ભાગરૂપે આજે રાષ્ટ્રીય…

HSC બાદ વિધાર્થીઓ માટે પ્રોફેશનલ કોર્સ તથા વિદેશમાં ક્યાં વિકલ્પો ઉપલબ્ધ છે તે માટે કરિયર ગાઈડન્સ સેમિનાર યોજાયો

શિવ શરણમ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા મણિનગર વિસ્તારમાં કેરિયર ગાઈડન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું,. ધોરણ-12માં અભ્યાસ કરતા વિધાર્થીઓને ધોરણ-12 પછી ક્યા કયા…

હાઈ પલ્સ રેટ અને ઓછું Spo2ની ફરિયાદ સાથે દાખલ થયેલ દર્દીના જમણા થાપાના ગોળાનું સફળ ઓપરેશન

રાજકોટ: વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ હંમેશાથી ક્રિટિકલ કેસીસની સરળ રીતે સારવાર કરવા માટે જાણીતું છે. અહીંના ડોક્ટર્સની ટીમ અભૂતપૂર્વ છે. તાજેતરના જ કેસની વાત કરીએ તો એક 76 વર્ષીય દર્દીને જમણા પગમાં દુખાવો, ચાલી શકવાની અસમર્થતા,હાઈ પલ્સ રેટ (હાર્ટ રેટ ૧૦૦ થી વધુ) તથા Spo2(ઓક્સિજન સેચ્યુરેશન ૭૦ થી ૮૦ની વચ્ચે)ની ફરિયાદ સાથે ઇમરજન્સી માં દાખલ કરવામાં આવ્યા. તેમને 2 દિવસથી જમણા પગના થાપાના ગોળાના સાંધાનો દુખાવો થતો હતો કે જેને રાઈટ હિપ જોઈન્ટ પેઈન કહેવાય છે. અગાઉ દર્દીએ જૂનાગઢમાં પ્રાથમિક સારવાર લીધી પરંતુ તેમને દર્દીની પરિસ્થિતિમાં ગંભીરતા જણાતાં દર્દીના પરિવારજનો તેમને વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે લઈને આવ્યાં હતા. તેમને સિનિયર ઓર્થોપેડીક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડૉ. ઉમંગ શિહોરાની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. એક્સરે કરાવતાં માલૂમ  થયું કે દર્દીને જમણા થાપાના ગોળાનું ફ્રેકચર છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે સમગ્ર સૌરાષ્ટ્રમાં ડૉ. ઉમંગ શિહોરા પાસે કોમ્પ્લિકેટેડ કેસીસ (HighSkill) ને હેન્ડલ કરવાની એક બેજોડ આવડત છે, જેનો લાભ સૌરાષ્ટ્રના હજારો દર્દીઓને અવિરત રીતે  છેલ્લા ૧૫ વર્ષથી પણ વધારે સમયથી મળી રહ્યો છે.ડૉ. ઉમંગ શિહોરા, સિનિયર કન્સલ્ટન્ટ- ઓર્થોપેડીક એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન એ જણાવ્યું હતું કે,"દર્દીને ઇમર્જન્સીમાં દાખલ કરાયા બાદ તેમના 2D ઇકો (હ્રદય ની તપાસ) તથા સીટી એન્જીઓ ચેસ્ટ(ફેફસાની મુખ્ય નળીઓ નો અત્યાધુનિક રીપોર્ટ) કરતા જણાયું કે દર્દીના Low Spo2 (૭૦-૮૦%) રહેવાનું કારણ પીએએચ (pulmonary Arterieal Hypertension)  છે. દર્દીને દાખલ કરતા સમયે 5 લીટર મિનિટથી ઓક્સિજન આપવાની જરૂરિયાત ઊભી થઈ હતી.  દર્દીના બાકીના તમામ રીપોર્ટ તથા ઑપરેશનની તૈયારી કરીને તેમને બીજા દિવસે  સવારે ૯ વાગ્યે ઓક્સિજનના સપોર્ટ  સાથે ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા જ્યાં અમે કુશળ એનેસ્થેસિયાના સથવારે દર્દીના જમણા થાપાના ગોળાનું ઓપરેશન માત્ર 60 મિનિટમાં જ પૂર્ણ કર્યું અને સાંજ પડતાં જ દર્દી માત્ર ૬ કલાકની અંદરજ વોકરના સહારે ચાલતાં પણ થઇ ગયા"એક અઠવાડિયા દરમિયાનમાં જ દર્દીને જોતા ખૂબ જ સંતોષ થાય તેવું આશ્ચર્યજનક પણ છતાંય વૈજ્ઞાનિક પરિણામ  દેખાય છે. દર્દી તથા તેમના પરિવારજનો તરફથી ડૉ. ઉમંગ શિહોરા નો દિલ થી ખૂબ ખૂબ આભાર મનાઈ રહ્યો છે. ડૉ. ઉમંગ શિહોરાએ લગભગ આશરે 3000 જેટલી ફ્રેકચર સર્જરી,2500થી વધારે ટોટલ ની રિપ્લેસમેન્ટ સર્જરી (TKR) તથા 1200થી વધારે ટોટલ હિપ રિપ્લેસમેન્ટ (THR) સર્જરી સફળતાપૂર્વક  કરેલી છે.થાપાના સાંધાની કે થાપાના ગોળાની આસપાસ થતી  ફ્રેક્ચરોની સરળ અને સફળ સર્જરીઓ કરીને દર્દીઓને કલાકોની ગણતરીઓમાચ પોતાના પગ ઉપર ઉભા કરીને ચાલતા  કરી આપવા એવી સર્જરીઓમાં ડો.ઉમંગ શિહોરા નિપુણ છે.

ચંદ્ર પર બાપાનો સંદેશ પહોંચાડવા પાછળની દૂરંદર્શી શક્તિ તમામ રીતથી પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજીના ગહન જ્ઞાન અને અતૂટ ભક્તિમાં સમાયેલી છે: જય પટેલ

USA થી પાછા ફર્યા બાદ અમદાવાદમાં એક યાદગાર મુલાકાતને યાદ કરતા જય પટેલએ સ્વામીજીની સાથે થયેલી વાતચીતને યાદ કરી, જ્યાં…

પૂજ્ય મોરારી બાપૂએ પ્રાણ પ્રતિષ્ઠા બાદ અયોધ્યામાં પ્રથમ રામકથાનો શુભારંભ કર્યો

પૂજ્ય મોરારી બાપૂએ રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના આમંત્રણ ઉપર રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમ રામકથાનો પ્રારંભ કર્યો વિશ્વના દરેક ઘરમાં અને…

Latest News