જો આવા ખોરાકનું સેવન કરતા હોય તો ચેતી જજો, મહિલાઓને માતૃત્વ ધારણ કરવામાં આવી શકે છે સમસ્યા

Rudra
By Rudra 3 Min Read

સુરત: મહિલાઓની ફર્ટિલિટી (સફળ ગર્ભધારણ) ની વાત કરીએ તો એગ (અંડકોષ)ની ગુણવત્તાએ સૌથી મહત્વપૂર્ણ પાસું છે. પરંતુ ઉંમરની અસર ઉપરાંત એગની ગુણવત્તા ઘટવા પાછળના અન્ય ઘણા પરિબળો પર ઓછું ધ્યાન અપાય છે. જ્યારે ઉંમર એગના સ્વાસ્થ્યને નોંધપાત્ર રીતે અસર કરે છે, ત્યારે પોષણ પણ એટલું જ મહત્ત્વપૂર્ણ છે અને હકીકતમાં તે સુધારી શકાય તેવું પરિબળ છે.

નેચરલ કન્સેપ્શનનો પ્રયાસ કરતાં પહેલાના બેથી ત્રણ મહિના સમયગાળો સંવેદનશીલ હોય છે. આ તે સમય છે જ્યારે ઓવ્યુલેશન માટે નિયત એગ તેના વિકાસની જર્ની શરૂ કરે છે અને તેથી આ સમયગાળા દરમિયાન લેવાતાં પોષક તત્વો તે એગના સ્વાસ્થ્યને નક્કી કરવા માટે જવાબદાર બને છે.

ફોલેટ, વિટામિન ડી, ઓમેગા-3 ફેટી એસિડ્સ, સેલેનિયમ અને CoQ10 જેવા માઇક્રોન્યુટ્રિયન્ટ્સ ઑક્સિડેટિવ સ્ટ્રેસને રોકીને, માઇટોકોન્ડ્રિયલ ફંક્શનને સુધારીને અને સામાન્ય ક્રોમોઝોમલ ડેવલપમેન્ટને સરળ બનાવીને એગની પરિપક્વતામાં વધારો કરે છે. આ પોષક તત્વો લીલા પાંદડાવાળા શાકભાજી, કઠોળ, બીજ, નટ્સ, સાબુત અનાજ અને ઓઇલી ફિશ જેવા ખોરાકમાંથી મળી શકે છે.

ડાયેટમાં પ્રોસેસ્ડ ફૂડ્સ, એડેડ શુગર અને ટ્રાન્સ ફેટ્સનું વધુ પ્રમાણથી ક્રોનિક ઇન્ફ્લેમેશન થઈ શકે છે અને ઇન્સ્યુલિન રેગ્યુલેશનમાં ખલેલ પહોંચાડી શકે છે – આ બંને સ્થિતિઓ હોર્મોનલ સંતુલન અને ઓવ્યુલેશનને નુકસાન પહોંચાડે છે. સમય જતાં, આ એગની ગુણવત્તાને નુકસાન પહોંચાડે છે અને કન્સેપ્શનને સફળ બનાવવાની સંભાવના પણ ઘટાડી શકે છે.

રિસ્ટ્રિક્ટિવ ડાયેટરી પેટર્ન પણ જોખમભરી છે. મીલ સ્કીપ કરવું અથવા ખૂબ જ ઓછી કેલરી વાળું ભોજન લેવાથી ઓવરીઝ અને મગજ વચ્ચેનો હોર્મોનલ કમ્યુનિકેશન ડિસરપ્ટ થઈ શકે છે, જેના પરિણામે અનિયમિત પીરિયડ્સ અથવા ઓવ્યુલેશનમાં વિલંબ થઈ શકે છે. વધુમાં ગટ હેલ્થ, જેને સામાન્ય રીતે ઓછું મૂલ્ય આપવામાં આવે છે, તે પોષકતત્ત્વોના શોષણ અને ઇસ્ટ્રોજન મેટાબોલિઝમને મોડ્યુલેટ કરીને રીપ્રોડક્ટિવ વેલ્બિંગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

એ સમજવું જરૂરી છે કે, પોષણ યુક્ત ભોજન માત્ર ઉંમર સંબંધિત ઘટાડાને ઊલટાવી શકતું નથી અથવા ફર્ટિલિટીના બધા કારણોની સારવાર કરી શકતું નથી, પરંતુ તે મહિલાઓના નિયંત્રણમાંના થોડા લીવર્સમાંથી એક છે – જે સીધું તેમના એગના સેલ્યૂલર હેલ્થને સપોર્ટ કરે છે.

કન્સેપ્શનનો પ્રયાસ કરતા પહેલાના મહિનાઓ દરમિયાન શરીરને શું મળે છે તેની નોંધ લેવાથી માત્ર એગની ગુણવત્તા પર જ નહીં, પરંતુ ફર્ટિલાઇઝેશન અને પ્રારંભિક ભ્રૂણ વિકાસ માટે અનુકૂળ વાતાવરણ પર પણ નોંધપાત્ર ફરક પડી શકે છે.

ડૉ. આશિતા જૈનફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટબિરલા ફર્ટિલિટી એન્ડ આઇવીએફસુરત

Share This Article