અમદાવાદ રેલ્વે સ્ટેશનને પાંચ વર્ષમાં મોઢેરા સૂર્ય મંદિર થીમ પર વિકસાવાશે અમિત શાહ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ શહેરના કાલુપુર ખાતેના અમદાવાદ રેલ્વે સ્ટેશનને આગામી પાંચ વર્ષમાં મોઢેરા સૂર્ય મંદિરની થીમ પર વિકસાવવાની જાહેરાત કરી હતી. શાહે ઉમેર્યું કે, શહેરના સાબરમતી રેલ્વે સ્ટેશનને પણ દક્ષિણ ભારતના સ્થળોને કનેક્ટિવિટી પૂરી પાડવા સાથે ભવ્ય રીતે વિકસાવવામાં આવશે. શાહે ગાંધીનગર લોકસભામાં સ્પોર્ટ્‌સ કોમ્પ્લેક્સને સમર્પિત કરવા અને રૂ. ૨૧૧ કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવાના જાહેર સમારોહને સંબોધતા જણાવ્યું હતું.

ઉપરાંત કેન્દ્રીય મંત્રીએ એવી પણ જાહેરાત કરી હતી કે, અમદાવાદ શહેરના વિસ્તારોમાં આવેલા ૧૪ તળાવો અને અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એકબીજા સાથે જોડાયેલા હશે. આ ઉપરાંત ૧૦૦ કરોડના ખર્ચે પ્રવાસન કેન્દ્ર પણ વિકસાવવામાં આવશે. અને ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં ૧,૨૦૦ નવા તળાવો વિકસાવવામાં આવશે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, મોદીએ આદિવાસીઓ, માછીમારો, ગ્રામીણ વિકાસ, શહેરી વિકાસ, ઔદ્યોગિક રોકાણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ અને મેટ્રો જેવા તમામ ક્ષેત્રોમાં ગુજરાતને ભારતના વિકાસના નકશા પર પ્રથમ સ્થાને પહોંચાડ્યું છે.

Share This Article