યોગસાધનાને દૈનિકચર્યાનો હિસ્સો બનાવીએ

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

વિશ્વ યોગ દિનની રાજ્યકક્ષાની ઉજવણી આજે અમદાવાદ ખાતે યોજાઇ હતી. સમગ્ર વિશ્વમાં ૨૧મી જુને ઉજવાતા વિશ્વ યોગ દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં રાજ્યપાલ ઓ.પી. કોહલી, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, કેન્દ્રીય કાયદા રાજ્ય મંત્રી પી.પી. ચૌધરી ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ આર. સુભાષ રેડ્ડી, મેયર શ્રીમતી બિજલબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. યોગના પ્રારંભે યોગસાધકોએ વીડીયોના માધ્યમથી યોગોનું માર્ગદર્શન મેળવ્યું હતું.

રાજ્યપાલ ઓ.પી. કોહલીએ ભારતની જ્ઞાન પરંપરામાં યોગના અદભૂત પ્રદાનને આવકારતાં જણાવ્યું હતું કે યોગ ભારતીય સંસ્કૃતિના પ્રતિક રૂપે વિશ્વ આખામાં ઉભર્યો છે એટલું જ નહીં તેને વૈશ્વિક સ્વીકૃતિ પણ મળી છે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસોથી યોગને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી છે તે આપણા સૌ માટે ગૌરવની વાત છે. મનને શાંત કરવા યોગ એ શ્રેષ્ઠ અને સમર્થ માધ્યમ છે. સાથે સાથે યોગ શરીરને મન સાથે, મનને આત્મા સાથે અને આત્માને પરમાત્મા સાથે જોડવાનું પણ માધ્યમ છે એમ તેમણે ઉમેર્યું હતું.

CM WYD AHM01

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિશ્વ યોગ દિવસની રાજ્ય ઉજવણીમાં સહભાગી થતા જણાવ્યું કે દુનિયાને તનાવમુક્તિ, વિશ્વ કલ્યાણ અને તે દ્વારા વિશ્વ બન્ધુત્વભાવની આત્મિક ચેતના જગાવવાનો માર્ગ ભારતીય સનાતન સંસ્કૃતિની યોગ સાધના એ બતાવ્યો છે. યોગ એ ભારતની વિરાસત છે અને યોગમા વિશ્વ કલ્યાણ- માનવતા- સંસ્કૃતિની જાળવણીનું સામર્થ્ય છે ત્યારે યોગ જ વિશ્વ આખાને તણાવમાંથી મુક્ત કરી શકશે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે શરીર મનને શાંત કરવા સામર્થ્ય એવા યોગની ક્રિયા દૈનિક જીવનનો હિસ્સો બને તે જરૂરી છે. વિશ્વ આખું તનાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે જીવે છે ત્યારે તેમાંથી બહાર આવવા યોગ એ સાચો રસ્તો છે.

રાજ્યમાં ૭૫ લાખ નાગરિક ભાઈ બહેનો બાળકો સામુહિક યોગ સાધનામાં જોડાયા છે તેની પ્રશંસા કરી હતી.

Share This Article