અમદાવાદના મણિનગર વિસ્તારમાં બુધવારે કારમાં આકસ્મિક આગ લાગવાની ઘટના બનવા પામી હતી. આ ઘટના શહેરના મણિનગર પૂર્વ વિસ્તારમાં આવેલા ઇશ્વર કૃપા ફ્લેટ પાસે બનવા પામી હતી. કારમાં આગ લાગવાની ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડે ત્વરિત ઘટના સ્થળે પહોંચી ગણતરીની ક્ષણોમાં આગ પર ત્વરિત કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે કારને વધુ નુક્શાન થતા અટક્યું હતુ. કારમાં આગ લાગવાની આ ઘટનામાં કારના બોનેટના એન્જિનમાં આગ વધુ પ્રસરે તે પહેલા ફાયર બ્રિગેડે આગ બુઝાવી દીધી હતી.
સિંધી પરિવાર ગ્રુપ (SPG) દ્વારા ચેટી ચાંદ નિમિતે કાર રેલી દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું
સિંધી સમુદાયે તેમના પૂજ્ય દેવતા, ભગવાન ઝુલેલાલના શુભ જન્મદિવસ, ચેટી ચાંદની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને એકતા સાથે કરી હતી....
Read more