અમદાવાદના મણિનગર વિસ્તારમાં બુધવારે કારમાં આકસ્મિક આગ લાગવાની ઘટના બનવા પામી હતી. આ ઘટના શહેરના મણિનગર પૂર્વ વિસ્તારમાં આવેલા ઇશ્વર કૃપા ફ્લેટ પાસે બનવા પામી હતી. કારમાં આગ લાગવાની ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડે ત્વરિત ઘટના સ્થળે પહોંચી ગણતરીની ક્ષણોમાં આગ પર ત્વરિત કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે કારને વધુ નુક્શાન થતા અટક્યું હતુ. કારમાં આગ લાગવાની આ ઘટનામાં કારના બોનેટના એન્જિનમાં આગ વધુ પ્રસરે તે પહેલા ફાયર બ્રિગેડે આગ બુઝાવી દીધી હતી.
19-20 સપ્ટેમ્બરે સિટીની મેરિયોટ હોટેલમાં ‘હાઇ લાઇફ બ્રાઈડ્સ’ એક્ઝિબિશન આયોજન
આ વખતે વિશેષ બ્રાઇડલ ઈવેન્ટ રાખવામાં આવેલ છે. તે કોર્ટયાર્ડ બાય મેરિયટમાં યોજવામાં આવેલ છે જે ૧૯ અને ૨૦ સપ્ટેમ્બરના...
Read more