અમદાવાદના મણિનગર વિસ્તારમાં કારમાં લાગેલી આગ પર મેળવાયો કાબૂ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદના મણિનગર વિસ્તારમાં બુધવારે કારમાં આકસ્મિક આગ લાગવાની ઘટના બનવા પામી હતી. આ ઘટના શહેરના મણિનગર પૂર્વ વિસ્તારમાં આવેલા ઇશ્વર કૃપા ફ્લેટ પાસે બનવા પામી હતી. કારમાં આગ લાગવાની ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડે ત્વરિત ઘટના સ્થળે પહોંચી ગણતરીની ક્ષણોમાં આગ પર ત્વરિત કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે કારને વધુ નુક્શાન થતા અટક્યું હતુ. કારમાં આગ લાગવાની આ ઘટનામાં કારના બોનેટના એન્જિનમાં આગ વધુ પ્રસરે તે પહેલા ફાયર બ્રિગેડે આગ બુઝાવી દીધી હતી.

Share This Article