જૂનાગઢ જિલ્લાના માંગરોળ મુકામે પિયુષ પરમાણની આગેવાનીમાં મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા હતભાગીઓને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે માંગરોળ ટાવર ચોકથી નિમલા ચોક સુધી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. લીમડા ચોકમાં કેન્ડલ જલાવી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મોરબીની આ દુર્ઘટનાથી ભલભલાના કાળજા કંપાવી નાખે તેવા બનાવમા નાના બાળકો સહિત ૧૦૦થી વધુ લોકોના મોત થયા છે. તેમજ અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા તે ઘટનાથી સમગ્ર મોરબી સહિત ગુજરાતભરમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ દુર્ધટનાને લઇને માંગરોળમાં પિયુષ પરમારની આગેવાનીમાં યુવાનોએ કેન્ડલ માર્ચ યોજી મોરબી દુર્ઘનામાં મુત્યુ પામેલા સદગત લોકોને ભાવભેર શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમજ તેમની આત્માની શાંતિ માટે અને ઘાયલ થયેલા લોકોના સ્વસ્થ જીવન માટે ભગવાનને પ્રાથના કરવામા આવી હતી.
ભાદરવી પૂનમે મહામેળામાં અંદાજે 32.54 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ‘માં અંબા’ના કર્યા દર્શન
51 શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ ગુજરાતના અંબાજી ખાતે આવેલી છે. આ શક્તિપીઠમાં 170 વર્ષથી જૂની ચાલતી પરંપરામાં આજે પણ લાખોની સંખ્યામાં...
Read more