તુર્કીયેથી જાપાન સુધી ૬.૦ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

News KhabarPatri
2 Min Read

જાપાન ના હોક્કાઇડોમાં શુક્રવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૬.૦ નોંધવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી ૪૬ કિલોમીટર નીચે જણાવવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ ગુરુવારે પૂર્વી તુર્કીયે માં ૫.૨ તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજી સેન્ટર અનુસાર, તુર્કીમાં ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીમાં ૧૧ કિલોમીટરની ઊંડાઈએ હતું. કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપના આ આંચકાઓને કારણે ભારે વિનાશ થઈ શકે છે.

તુર્કીયેના એક મંત્રીએ ટિ્‌વટર પર માહિતી આપતા કહ્યું કે ભૂકંપના કારણે એક ઈમારત ધરાશાયી થઈ ગઈ છે. જેના કારણે આસપાસના વિસ્તારોમાં પણ નુકસાન થયું છે. તેમણે વધુમાં જણાવ્યું કે હજુ સુધી કોઈ વ્યક્તિના મોતના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ ૨૨ લોકોને નાની-મોટી ઈજા થઈ છે. રાહત કાર્ય માટે ઘણી ટીમો તૈનાત કરવામાં આવી છે, જેઓ ફિલ્ડ સર્વે કરીને પરિસ્થિતિનો તાગ મેળવી રહી છે. જાપાનને ઉગતા સૂર્યની ભૂમિ માનવામાં આવે છે. પરંતુ મોટે ભાગે તે આફતોથી ઘેરાયેલું છે.

 દેશમાં સૌથી વધુ ભૂકંપ અને સુનામી આવે છે, જેના કારણે દર વખતે લાખો લોકોને નુકસાન થાય છે. ખાસ કરીને ભૂકંપની દૃષ્ટિએ આ દેશ ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે પૃથ્વીની સૌથી વધુ વિક્ષેપિત ટેક્ટોનિક પ્લેટો જાપાનમાં છે. આ કારણોસર જાપાન દરરોજ ભૂકંપનો ભોગ બને છે. એવું માનવામાં આવે છે કે વર્ષ ૨૦૧૧માં જાપાનમાં ભૂકંપ અને સુનામીના કારણે સૌથી વધુ તબાહી થઈ હતી. માર્ચ ૨૦૧૧માં જાપાનમાં ૯ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જે બાદ ભૂકંપ પછી સુનામી પણ આવી હતી. આ વિનાશમાં ૧૫ હજારથી વધુ લોકોના મોત થયા હતા અને ૬ હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા. ભૂકંપને કારણે સમુદ્રમાં ભયંકર મોજાં ઉછળ્યાં હતા, જેનાથી અડધું જાપાન ડૂબી ગયું હતું.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *