• Latest
  • Trending

વર્ષા વિજ્ઞાનના ૫૯ અવલોકનકારોનું તારણ વરસાદ ૧૨ થી ૧૪ આની થશે

8 years ago

ઈન્ડોનેશિયામાં પૂર પ્રકોપને લીધે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

2 years ago

‘ઉમરાવ જાન અદા: ધ વેસ્ટન્ડ મ્યુઝિકલ’ ઇતિહાસ રચશે, જેનું પ્રીમિયર અમદાવાદના એક ઓપન થિયેટરમાં યોજાયું હતું

2 years ago

અમદાવાદ શીશીગૃહ પાલડીમાં રહેતા અનવીતને મળ્યા માતા-પિતા

2 years ago

કોન્ફેડરેશન ઓફ વુમન આંત્રપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા (COWE) દ્વારા સ્વાભિમાન મેલા “નારી પ્રાઇડ & પાવર” 2024નું આયોજન

2 years ago

Samsung Expands its Retail Presence in Bengaluru; Inaugurates its Second Premium Experience Store inThe Mall of Asia

2 years ago

જાણીતા ડેવલોપર્સ સ્વરા ગ્રુપે સફળતાને સેલિબ્રેટ કરવા માટે ‘સ્વરોદય’ કાર્યક્રમનું આયોજન

2 years ago

Calorx Olive International School એ કલા, વિજ્ઞાન,ગણિત તથા ઇતિહાસના પ્રોજેક્ટ ઘ્વારા વિધાર્થીઓના વિકાસમાં ઉમેરો કર્યો

2 years ago

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા સ્કૂલના નિર્માણ માટે ‘મ્યુઝિકલ કોમેડી શો વિથ સાઈરામ દવે’ લાઈવ કોન્સર્ટનું આયોજન થયું

2 years ago

પેકેજિંગ ઇન્ડસ્ટ્રી માટે ક્રાંતિકારી પ્લેટફોર્મ એટલે ઇનપેકેજિંગ

2 years ago

પ્રેક્ષકોની હૂંફ અને પ્રશંસા મને એક કલાકાર તરીકે મારી સીમાઓને આગળ ધપાવવા માટે પ્રેરિત કરે છે : રોનક કામદાર

2 years ago

મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા ભુજમાં લગભગ 2000 મહિલાઓ સુધી નિદાન સેવાઓ પહોંચી

2 years ago

Valvoline™ ગ્લોબલ ઇન્ડિયા એ  ‘મિકેનિક્સ મેક ધ વર્લ્ડ બેટર’ થીમ સાથે મિકેનિક્સના મંથ કેમ્પેઇનની ચોથી એડિશનની શરૂઆત કરી

2 years ago

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર મહાનગર પાલિકાના સહયોગથી “ઉષા પર્વ – ચતુર્થ ઉદગમ્ મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન

2 years ago
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Monday, March 30, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • Login
Khabarpatri
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result

વર્ષા વિજ્ઞાનના ૫૯ અવલોકનકારોનું તારણ વરસાદ ૧૨ થી ૧૪ આની થશે

ચોમાસાની શરુઆત ૮ જુનથી અને અંત ઓક્ટોબરનું બીજુ અઠવાડીયુ રહેવાની શક્યતાઓ

KhabarPatri News by KhabarPatri News
June 5, 2018
in ગુજરાત
0

જૂનાગઢ: જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ૨૫ વર્ષથી વર્ષાવિજ્ઞાન મંડળ અને જૂનાગઢ કૃષિ યુનિ. દ્વારા આગામી ચોમાસાની લાંબાગાળાની આગાહીઓ એકત્ર કરવા તેમજ વિવિધ સંબંધે અભ્યાસુ આગાહીકારોને એકમંચ પર ભેગા થવા સહ ચોમાસા પૂર્વે કૃષિ યુનિ. કેમ્પસમાં પરિસંવાદ યોજાયો હતો.

જો સમયસર વરસાદ થાય તો સમયસરની વાવણીમાં ક્યા પાકનું વાવેતર કરવુ, વરસાદ ખેંચાય તો કેવા પાકની પસંદગી કરવી વગેરે બાબતો સાથે ખેડુતોની વરસાદી વરતારાની કોઠાસુઝને વિસ્તારવાઈઝ કૃષિકારોનાં અવલોકનો એકત્ર કરી લાંબાગાળાની પુર્વ જાણકારી ખેડુતોને તેના ખેતી પાકોની યોગ્ય પસંદગી કરવામાં ઉપયોગી થાય છે.

સૈારાષ્ટ્રની ખેતી અને ખેડુતોનાં વિકાસને ધ્યાને રાખીને જૂનાગઢ કૃષિ યુનિ. અને વર્ષા વિજ્ઞાનમંડળ દ્વારા યોજીત વર્ષા વિજ્ઞાન પરિસંવાદને ખુલ્લો મુકતા કૃષિ યુનિ.નાં કુલપતિ ડો. એ.આર. પાઠકે જણાવ્યુ હતુ કે કૃષિ અવલોકનકારોનાં આ પૈારાણિક વારસો જીવંત રહે અને કૃષિ પ્રયોગશીલ ખેડુતોની કોઠાસુઝને વિજ્ઞાન સાથે સંકલીત કરવાનો આ પ્રયાસ લાભપ્રદ બની રહેશે. રાજ્ય સરકારે વરસાદી જળસંગ્રહ માટે જળઅભિયાન દ્વારા જે કાર્યો કર્યા છે તેનાથી સંગ્રહીત જળરાશીથી ખેડુતોને ખુબ ફાયદો થશે, વરસાદ એ પ્રભુએ આપેલ પ્રસાદ છે અને પ્રસાદ રૂપી વરસાદી નીરને ખેતરમાં પ્રસાદભાવે જ સિંચીત કરવુ જોઇએ. ડો. પાઠકે ઉમેર્યુ હતુ કે અવલોકનકારો ભડલીવાક્યો, વનસ્પતિનાં લક્ષણો, પશુપક્ષીની ચેષ્ટાઓ, અખાત્રીજનાં પવનો, જ્યોતીષ વિદ્યા, ખગોળ વિજ્ઞાન, વાદળનો કસ, વસંતમાં આવેલા ફૂલ, ચૈત્રના દનીયા, પાનખરની ઋતુ, મે માસનું તાપમાન, વૃક્ષોના ફળો વગેરેનાં પોતપોતાનાં અવલોકનોના આધારે આવનાર વર્ષનું પૂર્વાનુમાન કરતા હોય છે. આવા જાણકારો પોતાનાં અભ્યાસ, લાંબાગાળાનો અનુભવ તેમજ તેઓ પાસે રહેલ જ્ઞાનને આધારે આગાહી કરે છે.

આવનાર ચોમાસામાં કેવો અને કેટલો વરસાદ થશે તે અંગે વર્ષાવિજ્ઞાનનાં જાણકારોએ બાર થી ચૈાદ આની વર્ષ રહેવાની આગાહી વ્યક્ત કરી છે. ઊમરાળા ગામનાં નાનજીભાઇ રંગાણીએ શીયાળાનાં કસ, દનૈયાનો તપારો, અખાત્રીજનાં વાયરા, ઉપરથી વરતારો વ્યક્ત કરતા જણાવ્યુ છે કે આ વર્ષ ૧૪ આની રહેશે, તો મોરૂકા ગીરના મોહનભાઇ દલસાણીયાએ અધિક માસનાં અગાઉના વર્ષોનાં અભ્યાસ અને કસનું બંધારણ-પવનની અનુકુળતા જેવા મુદાઓ પર અભ્યાસ કરી અનુમાન વ્યક્ત કરેલ છે કે આ વરસ ૧૨ આની એટલે કે સારુ રહેશે. વંથલીનાં રમણીકભાઇ વામજાએ આ વર્ષને ૧૬ આની લેખાવી અનુમાન વ્યક્ત કરતા જણાવ્યુ કે આકાશમાં કસ સારા, વનસ્પતિના લક્ષણ સારા, ઉતાસણી અને અખાત્રીજનો પવન સારો હોય વરસાદ સાનુકુળ રહેશે. સીદસર ગામનાં ગીરધરભાઇ બેચરાએ પણ તેમના અવલોકનો પરથી વર્ષ ૧૬ આની રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.

સને ૧૯૯૦માં ડો. એ.ઓ.ખેરનાં માર્ગદર્શન તળે ડો. મુન્શી, ડો. ગુંદાલીયા, અને કૃષિ યુનિ.નાં સહયોગથી આજે ૨૫ વર્ષથી વરસાદી વરતારા માટે અવલોકનકારો તેમનાં ભડલી વાક્યો, શતવૃષભાવકુંડળી, મયુર ચિત્રકામ, મેઘમાલા, વૃષ્ટી પ્રબોધ તેમજ પશુપક્ષીઓની ચેષ્ટાઓ, લોકવાયકાઓ, ખગોળવિજ્ઞાન, ઋતુમાં થતાં પરીવર્તનો, વનસ્પતિમાં જોવા મળતા બદલાવને ધ્યાને લઇ મેળવાતા તારણોમાં આધુનીકતા આવે અવલોકનકાર વૈજ્ઞાનીક તથ્યોને સમજીને અવલોકન સચોટ કરી શકે તે માટે ભેજમાપક યંત્ર, તાપમાનમાં થતાં બદલાવના અવલોકન માટે તાપમાનમાપક યંત્ર, પવન દીશા સુચકયંત્ર આગાહીકારોને વિનામુલ્યે આપવામાં આવ્યા હતા.

ગત વર્ષે અભ્યાસુઓએ રજુ કરેલ અવલોકન પેકી પ્રેમજીભાઇ બોરડ અને અરજણભાઇ ખાંભલાને પ્રથમ, બાવનજીભાઇ ગજેરાને દ્વિતિય અને તૃતિય સ્થાને પરશોત્તમભાઇ રાજાણીએ રજુ કરેલ તારણો શ્રેષ્ઠ રહ્યા હતા. જેમને શાલથી સન્માનિત કરાયા હતા.

૫૯ જેટલા અવલોકનકારો અને ૧૨૦ જેટલા વર્ષ વિજ્ઞાનમાં રસ ધરાવતા લોકોની હાજરીમાં આવનાર ચોમાસુ ૧૨ થી ૧૪ આની રહેવાની ધારણોઓ વ્યક્ત કરવામાં આવી છે. ચોમાસાની શરુઆત ૮ જુનથી અને અંત ઓક્ટોબરનું બીજુ અઠવાડીયુ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરાઇ છે. જૂલાઇનાં ત્રીજા અને ઓગષ્ટનાં બીજા અઠવાડીયામાં અતીવૃષ્ટીની સંભાવના અવલોકનકારોએ મુકી છે. આ વરસે ખંડીય અને ઝાળીઝપટ પવન તેમજ ગાજવીજ સાથે થાય તેથી ઝાડ-પાનને નુકશાન થવાની તેમજ વીજળી પડવાની શક્યતા વ્યક્ત કરાઇ છે. લાંબાગાળાનાં પાક કપાસ, મગફળી તુવેર એરંડા જેવા પાકો સારા થવાની શક્યતા છે. આ ઉપરાંત વરસાદનાં પાણીનો સંગ્રહ થવાથી શીયાળુ પાક પણ સારો રહેવાની અવલોકનકારોએ ધારણા વ્યક્ત કરી છે. આ વરસે ચૈત્ર માસના દનૈયા આ વખતે ૩૮થી ૪ર ડિગ્રીએ તપેલા છે. તા.૭થી ૧૪ એપ્રિલ સુધીના આદ્રાથી હસ્ત નક્ષત્ર સુધીના આ દનૈયામાં આખો દિવસ ઠંડો દનૈયુ રહ્યુ હતું. માટે એકાદ નક્ષત્રમાં વરસાદ ન થાય તેવુ અનુમાન છે. તપેલા દનૈયાના કારણે કરાં સાથે વરસાદ પણ પડયો હતો. માટે આ વર્ષે દુષ્કાળની સંભાવના નથી. વરસાદ નક્કી કરવા માટે આ સૌથી વધુ પ્રચલિત તહેવાર છે. જાણકારો તો ઠીક સામાન્ય લોકો પણ આ દિવસે વરસના વરતારા માટે પવનની દિશા જોતા હોય છે. હોળીના દિવસે સૂર્ય આથમી ગયા બાદ ૯૬ મિનીટ પવનની દિશા જોવાની હોય છે. આ વખતે ઈશાન દિશામાંથી પવન આવીને નૈઋત્ય તરફ જતો હતો. માટે પવનની આ દિશાને ધ્યાને લેતા ચોમાસુ સરેરાશ રહે તેવી શક્યતા છે. અખાત્રીજના દિવસે સવારના સમયે સૂર્યોદય બાદ ૯૬ મિનીટ સુધી પવનની દિશા જોવાની હોય છે. જેમાં ક્યારેક ઉતર અને ક્યારેક ઈશાન દિશાનો પવન હતો. વધારે વાયવ્યનો પવન જોવા મળ્યો હતો. ઉતરથી દક્ષિણ અને વાયવ્યમાંથી અગ્નિ દિશા તરફ ગયેલા પવનના કારણે સારો વરસાદ થવાની આગાહી છે. સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારોમાં એક કહેવત છે કે, ‘ડોશી મહિનામાં દુકાળ પડે…’ પણ આ કહેવત આ વર્ષે એટલા માટે ખોટી પડશે કે ડોશી મહિનો એટલે કે અધિક માસ આ વખતે શ્રાવણ કે ભાદરવા મહિનામાં નથી ! છેલ્લા ૯૭ વર્ષમાં ૩૯ અધિક માસ આવ્યા છે. આ માસ હોય તેવા વર્ષના વરસાદી પત્રકોનો અભ્યાસ કરતા એવુ તારણ નિકળે છે કે, જેઠ કે વૈશાખ માસમાં અધિક માસ હોય ત્યારે વરસાદ સારો થાય છે. જો શ્રાવણ કે ભાદરવા માસમાં અધિક માસ હોય તો જ વરસાદ નબળો પડે છે.  અત્યાર સુધીમાં પ્રકૃતિની મળેલી નિશાનીઓને જોતા વરસ સારૂ રહે તેવા સંકેત મળી રહ્યા છે. અધિક માસ હોવા છતાં ચોમાસુ ખરાબ જશે નહીં. કેટલાક આગાહીકારોના મતે અરબી સમુદ્ર કે બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાશે. જો કે તેની અસર કેવી અને કેટલી વર્તાશે ? તે જે તે સમયે જ તાગ કાઢી શકાય., વર્ષા વિજ્ઞાન મંડળ પ્રમુખ -ડો.એ.એમ.પારખીયાએ વર્ષા વિજ્ઞાન પરિસંવાદની ફલશ્રુતી વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે સમગ્ર સ્થિતિને ધ્યાને લેતા જૂનથી નિયમીત ચોમાસુ બેસે તેવી શક્યતા છે. વરસાદી પાણીના તળ ભરાશે અને શિયાળુ પાક લઈ શકાશે. લાંબા ગાળાના પાક મગફળી, કપાસ વગેરે ઓરવીને વાવેતર કરવાના બદલે નિયમીત વાવણી સમયે વાવેતર કરવાથી ખેડૂતોને ફાયદો થશે. જૂલાઈ, ઓગષ્ટ અને સપ્ટેમ્બરમાં વધારે વરસાદ પડશે, તેવુ અનુમાન છે.

 

Tags: JunagadhMonsoonSeminar
Previous Post

શહેરી વિસ્તારમાં પ્લાસ્ટિક વેસ્ટના રિસાયકલીંગ અને નિકાલ માટે વ્યાપક ઝૂંબેશ હાથ ધરાશે

Next Post

પર્યાવરણઃ આપણા અસ્તિત્વનો આધાર

Next Post

પર્યાવરણઃ આપણા અસ્તિત્વનો આધાર

મોદી સરકાર લઇ શકે છે મોટો નિર્ણય, જાણો શું છે તે નિર્ણય..!!

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Ad

  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Call us: +91 99251 19651

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

Social icon element need JNews Essential plugin to be activated.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri