શું અજિંક્ય રહાણેએ કોલકાતા નાઇટ રાઇડર્સનું કેપ્ટન પદ છોડી દીધું? જાણો આખરે શું છે હકીકત

Rudra
2 Min Read

અજિંક્ય રહાણેએ કોલકાતા નાઇટ રાઇડર્સની કેપ્ટનશીપ છોડી દીધી છે. IPL 2026માં કોલકાતા ટીમનું ખરાબ પ્રદર્શન પછી રહાણે દ્વારા કેપ્ટનશીપ છોડવાના સમાચાર વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. KKR અત્યાર સુધી IPL 2026ની સૌથી નબળી ટીમ સાબિત થઈ છે. એક માત્ર કોલકાતા ટીમ જ એવી છે, જેને અત્યાર સુધી જીત એકપણ જીત મળી નથી.

અજિંક્ય રહાણેની કેપ્ટનશીપ હેઠળ કોલકાતા નાઇટ રાઇડર્સનું પ્રદર્શન નબળું રહ્યું છે. ગયા સીઝનમાં ટીમ પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને રહી હતી, જ્યારે IPL 2026 માં હાલ ટીમ સૌથી નીચે છે. આ ખરાબ પ્રદર્શનને કારણે રહાણેએ કેપ્ટનશીપ છોડી દીધી હોવાના દાવા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

પરંતુ આ દાવાઓ સંપૂર્ણપણે ખોટા છે. IPL તરફથી અથવા KKR મેનેજમેન્ટ તરફથી કેપ્ટન બદલવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. એટલે કે, રહાણે હજુ પણ ટીમના કેપ્ટન છે.

સોશિયલ મીડિયા પર ફેલાતી આ વાત ફેક હોવાનું સ્પષ્ટ થઈ ગયું છે. હાલમાં પણ અજિંક્ય રહાણે જ KKRના કેપ્ટન છે અને રિંકુ સિંહ ટીમના વાઈસ કેપ્ટન તરીકે કામ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે KKR 2024 સીઝનની ચેમ્પિયન રહી હતી, પરંતુ ત્યારબાદ ટીમના પ્રદર્શનનું સ્તર ઘટ્યું છે. IPL 2025માં ટીમે 14 મેચમાંથી માત્ર 5 જીત મેળવી હતી, જેના કારણે રહાણેની ભારે ટીકા થઈ હતી.

તેમ છતાં, KKR મેનેજમેન્ટે IPL 2026 માટે ફરીથી રહાણે પર વિશ્વાસ મૂક્યો હતો. પરંતુ અત્યાર સુધી આ નિર્ણય યોગ્ય સાબિત થયો નથી, કારણ કે ટીમે આ સીઝનમાં અત્યાર સુધી રમાયેલી 5 મેચમાં એક પણ જીત નોંધાવી નથી.

 

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *