વિશ્વમાં પરમાણું યુદ્ધ થાય તો કેટલા દેશ બચશે? કેટલા લોકોના થશે મોત? સ્ટડીમાં ચોંકાવનારા ખુલાસા

Rudra
By Rudra 2 Min Read

વિશ્વમાં વધતા તણાવ વચ્ચે પરમાણુ યુદ્ધની ભીતિ ફરી ચર્ચામાં આવી છે. ઇઝરાયેલ, ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવને કારણે ત્રીજા વિશ્વ યુદ્ધની શક્યતાઓ અંગે ચર્ચા તેજ બની છે.

5 અબજ લોકોના મોતનો ખતરો

પરમાણુ યુદ્ધના નિષ્ણાતો અને એક નવી વૈજ્ઞાનિક સ્ટડી અનુસાર, જો દુનિયાભરની લગભગ 12 હજાર પરમાણુ મિસાઈલનો ઉપયોગ થાય તો લગભગ 5 અબજ લોકોના મોત થઈ શકે છે. આ સાથે આખી ધરતી ન્યુક્લિયર વિન્ટર એટલે કે પરમાણુ શીતની ચપેટમાં આવી શકે છે.
અનુમાન મુજબ દુનિયામાં લગભગ 10 વર્ષ સુધી બરફ જેવો વરસાદ અને ભારે ઠંડી રહી શકે છે.

માત્ર બે દેશ બચી શકે છે

પ્રસિદ્ધ વૈજ્ઞાનિક જર્નલ Nature માં પ્રકાશિત એક પીયર-રિવ્યૂડ સ્ટડી મુજબ ભયંકર પરમાણુ યુદ્ધની સ્થિતિમાં પણ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ એવા બે દેશ હોઈ શકે છે, જ્યાં લોકો જીવિત રહી શકે. નિષ્ણાતોનું માનવું છે કે આ દેશોની ભૌગોલિક સ્થિતિ અને ખેતી કરવાની ક્ષમતા તેમને થોડો બચાવ આપી શકે છે.

પરમાણુ વિસ્ફોટની ભયાનક અસર

આ સિનેરિયોની લેખિકા અને આર્માગેડન નિષ્ણાત Annie Jacobsen ના જણાવ્યા અનુસાર પરમાણુ વિસ્ફોટમાંથી નીકળતો આગનો ગોળો 100 મિલિયન ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ હોઈ શકે છે. તેમણે The Diary of a CEO પોડકાસ્ટમાં જણાવ્યું કે શરૂઆતના બ્લાસ્ટમાં કરોડો લોકોના મોત થશે, પરંતુ ખરેખર તબાહી ત્યારબાદ શરૂ થશે.

ખેતી બરબાદ, ભૂખમરો વધશે

પરમાણુ યુદ્ધ બાદ ભારે ઠંડીના કારણે Iowa અને Ukraine જેવા કૃષિ વિસ્તારો 10 વર્ષ સુધી બરફથી ઢંકાઈ શકે છે.
ખેતી સંપૂર્ણપણે નાશ પામશે, જેના કારણે વિશ્વભરમાં ભૂખમરો ફેલાઈ શકે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ Australia અને New Zealand માં લોકો જીવિત રહી શકે, પરંતુ જીવન ખૂબ મુશ્કેલ બનશે. લોકોને અંધારામાં રહેવું પડશે, ખોરાક માટે સંઘર્ષ કરવો પડશે અને રેડિયેશનથી બચવા માટે જમીન નીચે આશરો લેવો પડી શકે.

 

 

Share This Article