તેલંગાણાના આદિલાબાદમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેના વિશે જાણીને તમે પણ નવાઈમાં પડી જશો. અહીં એક આખલો રખડતા શ્વાનોથી બચવા માટે એક ઘરની છત પર ચડી ગયો હતો. તેનાથી ખબર પડે છે કે, માણસ જ નહીં, પરંતુ પશુઓ પર પણ જ્યારે જીવનું જોખમ હોય તો કઈ હદ સુધી જઈ શકે છે.
આ ઘટના સોમવાર સવારે ભોરજ મંડલના નિરાલ ગામની છે. શેખ ગફૂર નામના ખેડુતે પોતાનો આખલો ઘરની બહાર બાંધ્યો હતો. આ દરમિયાન અચાનક રખડતા શ્વાનના ટોળાએ તેના પર હુમલો કરી દીધો હતો. તેનાથી ગભરાયેલો આખલો દોરડું તોડીને પોતાનો જીવ બચાવવા ભાગ્યો હતો.
ఆదిలాబాద్ జిల్లా బోరజ్ మండలం నిరాల గ్రామంలో ఎవరూ ఊహించని సంఘటన జరిగింది. ఊర కుక్కలు తరమడంతో ఆవు పరుగు పరుగున వెళ్లి ఇల్లు ఎక్కి తనను తాను రక్షించుకుంది. ఆవును కిందికి దింపేందుకు స్థానికులు నానా తంటాలు పడ్డారు. ఆవు బరువుకు పైకప్పు కూలిపోతుందేమోనని ఆందోళన చెందారు. చాలాసేపు… pic.twitter.com/THbXzgby8J
— TV9 Telugu (@TV9Telugu) September 14, 2025
પોતાનો જીવ બચાવવા માટે તે એક ઘરની પાસે પડેલા એક પત્થરના ઢગલા પર ચડી ગયો અને પછી છલાંગ લગાવીને ઘરની છત પર ચડી ગયો. આ દ્રશ્ય જોઈને ગામના લોકો નવાઈમાં પડી ગયા હતા. ઘણી મહેનત બાદ સ્થાનિક લોકોએ દોરડા બાંધીને આખલાને નીચે ઉતાર્યો હતો.
ઘટના દરમિયાન છતને પણ નુકસાન પહોંચ્યું હતુ. સમગ્ર ઘટના ગામના લોકોએ પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધી હતી, હવે આખલાનો વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.