રાજ્યમાં સતત રખડતા ઢોર અને શ્વાનનો આતંક જોવા મળે છે. જેના કારણે ઘણા લોકો ઈજાગ્રસ્ત થાય છે તો કેટલાક લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. આવી જ એક ઘટના ભાવનગરમાં સામે આવી છે. ભાવનગરના સિહોરના ટાણા રોડ પર એક્ટિવા પર જઈ રહેલા દંપતીને ઢોરે અડફેટે લેતા પતિ-પત્ની બંને ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. તાત્કાલીક જ સ્થાનિકો દ્વારા દંપતીને સારવાર અર્થે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. રાજ્યમાં વધતા જતા રખડતા ઢોરના આતંકથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
પોઈચા અને અન્ય અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય
હાલમાં સુરત સ્થિર થયેલા અને મૂળ અમરેલી જિલ્લાના પરિવાર સાથે કરુણ દુર્ઘટના બની હતી. નર્મદા નદીના પોઈચા ખાતે આ પરિવાર...
Read more