મુખ્યપ્રધાને પહિંદવિધી કરી શ્રદ્ધાળુ ઉમટ્યા…

અમદાવાદ : ભગવાન જગન્નાથજીના દર્શન કરી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સવારે પહિંદવિધિ કરી ૧૪૨મી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.  મુખ્યપ્રધાન પોતે પણ ઉત્સાહિત દેખાઇ રહ્યા હતા. દર વર્ષે મુખ્યપ્રધાન દ્વારા પરંપરાગતરીતે પહિંદ વિધી કરવામાં આવે છે. વર્ષો સુધી નરેન્દ્ર મોદી પણ ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે આ વિધીમાં જોડાતા હતા. વર્ષો સુધી મોદીએ અમદાવાદની રથયાત્રાને પ્રસ્થાન કરાવી હતી. દેશના વડાપ્રધાન બન્યા બાદ પણ તેઓ શ્રદ્ધાથી તેમાં ધ્યાન આપે છે.

Share This Article