પેટાચૂંટણીમાં જીત મેળવવા યુપીના તમામ પક્ષો લાગ્યા

News KhabarPatri
1 Min Read

લખનૌ : ઉત્તરપ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં કારમી હાર ખાધા બાદ તમામ વિરોધ પક્ષો હચમચી ઉઠ્યા છે. મંથનમાં લાગેલા છે. ઉત્તરપ્રદેશમાં હવે પેટાચૂંટણીની તૈયારી શરૂ કરવામાં આવી ચુકી છે. ઉત્તરપ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં હાર ખાધા બાદ હવે સમાજવાદી પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા જોરદાર મંથન જારી છે. કેટલીક નવી બાબતો ટુંક સમયમાં જારી કરવામાં આવી શકે છે. પ્રાપ્ત અહેવાલ મુજબ સમાજવાદી પાર્ટીને નિષ્ફળતા મળ્યા બાદ હવે હવે પાર્ટીના સ્થાપક નેતા મુલાયમસિંહ યાદવને ફરી એકવાર પાર્ટી પોસ્ટર બોય બનાવવા માટે તૈયાર છે.

બીજી બાજુ માયાવતીએ ત્રીજી જુનના દિવસે બેઠક બોલાવી છે. જેમાં અનેકની હકાલપટ્ટી કરવામાં આવે તેવી શક્યતા છે. સમાજવાદી પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ સંગઠનમાં મોટા પાયે ફેરફાર કરે તેવા સંકેત છે. કોંગ્રેસ પાર્ટી કેટલાક નિષ્ક્રિય થયેલા નેતાઓને બહાર કરી શકે છે.

સાથે સાથે જાતિવાદી સમીકરણને ધ્યાનમાં લઇને કેટલાક યુવા ચહેરાને સામેલ કરવામાં આવી શકે છે. ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ પાર્ટી સૌથી ખરાબ રીતે હારી છે. તેને માત્ર એક સીટ મળી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ રાજ બબ્બરે રાજીનામુ આપી દીધુ છે. માયાવતીએ મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. જેમાં અનેકની હકાલપટ્ટી કરવામાં આવે તેવા સાફ સંકેત દેખાઇ રહ્યા છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *