નવીદિલ્હી : દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક અને ઇન્ડિયન ઓવર્સીસ બેંકે લોન દરોમાં ઘટાડો કર્યો છે. એસબીઆઈએ પોતાના લોનના વ્યાજદરોમાં ૦.૦૫ ટકાનો ઘટાડો કર્યો છે. નવા દરો આવતીકાલથી અમલી બનશે. બીજી બાજુ ઇન્ડિયન ઓવર્સિસ બેંકે પણ એક વર્ષ અને તેનાથી ઉપરની અવધિના લોન પર વ્યાજદરમાં ૦.૦૫ ટકાનો ઘટાડો કર્યો છે. એસબીઆઈએ ૩૦ લાખ રૂપિયાની આવાસ લોન પર વ્યાજદરમાં ૦.૧૦ ટકાનો ઘટાડો કર્યો છે જ્યારે ૩૦ લાખ રૂપિયાથી ઓછીની આવાસ લોન પર વ્યાજદર હવે ૮.૬૦થી ૮.૯૦ ટકા થઇ ગયો છે.
હવે અમદાવાદમાં પણ માત્ર 10 મિનિટમાં ડિલિવરી, ઝેપ્ટો કોમર્સ પ્લેટફોર્મનું ગુજરાતમાં વિસ્તરણ
ગુજરાત : ઝેપ્ટો, ભારતનું અગ્રણી ઇન્સ્ટન્ટ કોમર્સ પ્લેટફોર્મ છે. ગુજરાતમાં તેના વિસ્તરણની જાહેરાત કરવા માટે ઉત્સાહિત છે રાજ્યમાં તેના 10-મિનિટમાં...
Read more