૯ ધારાસભ્યોએ PMને મણિપુરની હાલતને લઈને લખ્યો પત્ર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

Manipur:   હિંસાથી મણિપુરની હાલત નાજુક છે. બે સમુદાયો આમને સામને આવી ગઈ છે. ત્યારે ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત બાદ શાંતિની આશા હતી, પરંતુ સ્થિતિ ફરી વણસી રહી છે. એક તરફ લોકો હથિયાર ઉઠાવી રહ્યા છે. બીજી તરફ, મણિપુરના મેતેઈ સમુદાયના નવ ધારાસભ્યોએ પીએમઓને પત્ર મોકલ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે લોકોનો મણિપુરની વર્તમાન સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. મણિપુરમાં હિંસા ૩ મેના રોજ શરૂ થઈ હતી, પરંતુ તેના એક મહિના પહેલા ભાજપના ચાર ધારાસભ્યોએ તેમના પદ છોડી દીધા હતા.

જો કે તત્કાલીન સીએમ બિરેન સિંહે કહ્યું હતું કે દરેકની પોતાની સમસ્યાઓ છે, તેથી જ તેમણે પદ છોડ્યું છે. બાકી સરકારમાં કોઈ સમસ્યા નથી. હવે, મેમોરેન્ડમ સબમિટ કરનારા નવ ધારાસભ્યોમાંથી, ચાર ધારાસભ્યો એવા છે જેમણે અગાઉ તેમના વહીવટી અને સલાહકાર પદો પરથી રાજીનામું આપ્યું હતું. હવે મણિપુરના સીએમ બિરેન સિંહની મુશ્કેલીઓ વધી શકે છે. આ બધું તે જ દિવસે બન્યું જ્યારે ૩૦ મેઇતી ધારાસભ્યોનું એક પ્રતિનિધિમંડળ દિલ્હીમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, નાણા પ્રધાન ર્નિમલા સીતારમણ, નિશિકાંત સિંહને મળ્યું. મણિપુર હિંસામાં ૧૦૦થી વધુ લોકોના મોત થયા છે. મણિપુરમાં ભારે જાનહાનિ થઈ રહી છે. સ્થિતિને સામાન્ય બનાવવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ ખાસ સુધારો દેખાતો નથી. જે નવ ધારાસભ્યોએ પીએમઓને મેમોરેન્ડમ સુપરત કર્યું છે તેઓએ લખ્યું છે કે તેઓ વર્તમાન સરકારમાંથી સંપૂર્ણ રીતે વિશ્વાસ ગુમાવી ચૂક્યા છે. આ હિંસાની અસર એ થઈ છે કે જે હાથમાં પહેલા પુસ્તક અને પેન હતી તે હાથમાં હવે

Share This Article