મણિપુરમાં કોમ્બિંગ ઓપરેશન દરટ્મિયાન ૫૭ હથિયાર અને ૩૨૩ દારૂગોળો મળ્યા

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

મણિપુરમાં સ્થિતિ સામાન્ય થવા તરફ આગળ વધી રહી છે, પરંતુ આ દરમિયાન હિંસા થવાના અહેવાલો છે. એક સપ્તાહ પહેલા ગૃહમંત્રી અમિત શાહ પોતે ત્રણ દિવસ માટે મણિપુરમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમણે અવારનવાર બેઠકો યોજી હતી. કુકી અને મૈતીઈ બંને સમુદાયના નેતાઓને મળ્યા હતા. સુરક્ષા દળો સાથે બેઠક કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ગૃહમંત્રી અમિત શાહે અપીલ કરી હતી કે જેની પાસે હથિયારો છે તેણે આત્મસમર્પણ કરવું જોઈએ. પોલીસ કોમ્બિંગ દરમિયાન કોઈ હથિયાર સાથે મળી આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમની અપીલની પણ અસર થઈ. પરંતુ હજુ પણ અહીંથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે.

મણિપુરમાં હિંસા પ્રભાવિત વિસ્તારોમાં પોલીસ સતત કોમ્બિંગ કરી રહી છે. આ દરમિયાન ૫૭ હથિયાર અને ૩૨૩ દારૂગોળો મળી આવ્યો છે. રાજ્ય સરકારના સુરક્ષા સલાહકારે કહ્યું કે સુરક્ષા દળો દરેક મોરચે તૈયાર છે. કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન લોકોને હથિયાર જમા કરાવવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં ૮૬૮ હથિયાર અને ૧૧,૫૧૮ દારૂગોળો મળી આવ્યો છે. ધીમે ધીમે સ્થિતિ સામાન્ય થઈ રહી છે. ટૂંક સમયમાં લોકો પણ પોતાના ઘરે પરત ફરશે. ખીણના ૫ જિલ્લામાં ૧૨ કલાક અને પર્વતીય જિલ્લાઓમાં ૮ થી ૧૦ કલાક માટે કર્ફ્‌યુમાં રાહત આપવામાં આવી છે. જેથી વસ્તુઓ સામાન્ય થઈ જાય.

અમિત શાહની મણિપુર મુલાકાત બાદ ઘણી શાંતિ જોવા મળી છે. તેણે ઘણા મોટા ર્નિણયો લીધા. બંને તરફના લોકોએ શાંતિની અપીલ કરી છે. શાહે અહીં એમ પણ કહ્યું કે કોર્ટે ઉતાવળમાં ર્નિણય આપ્યો. જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને હિંસા થઈ હતી. SOO કરારની યાદ અપાવતા, તેમણે કહ્યું કે તેને દરેક કિંમતે અનુસરવું જોઈએ. જો કોઈ વ્યક્તિ આ કરારને સ્વીકારશે નહીં, તો તેને ઉલ્લંઘન તરીકે જોવામાં આવશે. તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. નેશનલ હાઈવે નંબર ૩૭ પર આવશ્યક ચીજવસ્તુઓ લઈ જતા વાહનોની અવરજવર શરૂ થઈ ગઈ છે. દુકાનો ખુલી રહી છે. પેટ્રોલ પંપ પણ ખુલી રહ્યા છે. પરંતુ હજુ પણ મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત છે.

Share This Article