મોદીની રામલીલા મેદાનની રેલી ઉપર દેશની નજર રહેશે

News KhabarPatri
2 Min Read

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આવતીકાલે ૨૨મી ડિસેમ્બરના દિવસે દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાન ખાતે યોજાનારી રેલીને લઇને જોરદાર ઉત્સાહ ભાજપના કાર્યકરો અને નેતાઓમાં જોવા મળી રહ્યો છે. મોદી આ રેલીમાં ક્યાં મુદ્દા પર વાત કરશે તેને લઇને ભારે સસ્પેન્સની સ્થિતી રહેલી છે. જો કે હાલમાં નાગરિક કાનુનની સામે દેખાવો અને હિંસાના દોર વચ્ચે આ રેલીમાં મોદી દેશના લોકોને વિશ્વાસમાં લેવા માટેના પ્રયાસ કરી શકે છે. સાથે સાથે નાગરિક સુધારા બિલ પર વધારે વિગતવાર માહિતી આપી શકે છે. આ રેલીને લઇને છેલ્લા કેટલાક દિવસથી તૈયારી ચાલી રહી હતી. મોદી એ વખતે રેલી કરવા જઇ રહ્યા છે જ્યારે દિલ્હીમાં પણ હિંસક વિરોધ પ્રદર્શન જારી છે. જેથી દિલ્હી સરકાર અને પોલીસ સામે રેલીને શાંતિપૂર્ણ રીતે પાર પાડવાના પડકારો છે. દિલ્હીની ગેરકાયદે કોલોનીને નિયમિત કરવા અને પોતાની સરકારની અન્ય યોજના અંગે માહિતી આપનાર છે.

ત્રાસવાદી કાવતરાના સંબંધમાં માહિતી મળ્યા બાદ ગુપ્તચર સંસ્થાએ સુરક્ષા વ્યવસ્થા વધારે મજબુત કરવા અને એસપીજી તેમજ દિલ્હી પોલીસને કેટલીક ખાસ સુચના આપી છે. આઇબી દ્વારા સુરક્ષા સંસ્થાઓને બ્લુ બુક મુજબ સુરક્ષાની ખાતરી કરવા માટે કહ્યુ છે. બ્લુ બુકમાં વડાપ્રધાનની કોઇ પણ યાત્રા દરમિયાન સુરક્ષા વ્યવસ્થાના સંબંધમાં પુરતી માહિતી આપવામાં આવી છે. મોદી સરકારે બીજી વખત સત્તા સંભાળી લીધા બાદ એકપછી એક કઠોર નિર્ણય કર્યા છે. જેમાં કલમ ૩૭૦ની નાબુદી અને હવે નાગરિક સુધારા કાનુનનો સમાવેશ થાય છે. જેના કારણે કેટલાક લોકોમાં વ્યાપક નારાજગી જોવા મળી રહી છે. આવી સ્થિતીમાં સુરક્ષા મજબુત રહે તે જરૂરી છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *