લાલૂ પ્રસાદ યાદવની સજાની સૂનવણી આવતીકાલ સુધી ટાળવામાં આવી

News KhabarPatri
1 Min Read

બહુચર્ચિત ચારા કૌંભાડમાં રાજદ અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવને સજાની સુનવણી વિશેષ સીબીઆઇ અદાલત દ્વારા ૪ જાન્યુઆરીએ સંભળાવવાની હતી. આ સજા ૩ જાન્યુઆરીએ સંભળવવાની હતી. હવે આ સજાની સુનવણી ૪ જાન્યુઆરીએ થશે કારણ કે કોર્ટની કાર્યવાહીની શરૂઆત થાય તે પહેલા રાંચી બાર એસોસિયેનના પદાધિકારીઓ દ્વારા અદાલતને જાણ કરવામાં આ કે તેમના સાથીદાર  એડવોકેટ બિંદેશ્વરી પ્રસાદનું નિધન થયું છે, જેથી બપોર બાદ તેઓ કાર્ટની કાર્યવાહીમાં ભાગ લઇ શકશે નહિ. આ જ કારણોસર આ સુનવણી ૪ જાન્યુઆરી સુધી ટાળવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે બહુચર્ચિત ચારા કૌંભાડ સાથે સંકળાયેલા દેવધર ટ્રેઝરીના ૮૯ લાખ, ૨૭ હજારની  બાબતે ૨૩ ડિસેમ્બરે લાલૂ પ્રસાદ યાદવને દોષી ઠેરવ્યા હતા.

Share This Article