અનામત મુદ્દે અમિત શાહનો કથિત ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અમિત શાહનો ફેક વીડિયોને લઈને આઈટી સેલના વડા અમિત માલવિયાએ તેલંગાણા કોંગ્રેસ પર નિશાન સાધ્યું

લોકસભા ચૂંટણી વચ્ચે અમિત શાહના કથિત ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફેક વીડિયોને લઈને બીજેપીના આઈટી સેલના વડા અમિત માલવિયાએ તેલંગાણા કોંગ્રેસ પર જાેરદાર નિશાન સાધ્યું છે. તેમણે ટિ્‌વટર પર પોસ્ટ કર્યું કે, તેલંગાણા કોંગ્રેસે સોશિયલ મીડિયા પર એક એડિટેડ વીડિયો શેર કર્યો છે, જે સંપૂર્ણપણે નકલી છે અને હિંસા તરફ દોરી જવાની સંભાવના ધરાવે છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે રવિવારે સોશિયલ મીડિયા પર અમિત શાહનો નકલી વીડિયો ફેલાવવા અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ફરિયાદ પર કેસ નોંધ્યો હતો.

તમને જણાવી દઈએ કે અમિત માલવિયાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, ગૃહમંત્રી અમિત શાહે એસસી/એસટી અને ઓબીસીનો હિસ્સો ઘટાડવા અંગે કંઈ કહ્યું નથી. કોંગ્રેસના ઘણા પ્રવક્તાઓ દ્વારા આવા નકલી વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા છે. તેઓએ કાયદાકીય કાર્યવાહી માટે તૈયાર રહેવું જાેઈએ. સ્પેશિયલ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું કે કેસ નોંધાયા બાદ દેશભરમાં ધરપકડ થવાની શક્યતા છે. ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટરના અધિકારી સિંકુ શરણ સિંહે ફરિયાદમાં કહ્યું છે કે, સોશિયલ મીડિયા પર કેટલાક નકલી વીડિયો ફેલાવવામાં આવી રહ્યા છે અને આ વીડિયોથી શાંતિ અને કાયદો અને વ્યવસ્થાને અસર થવાની આશંકા છે. જ્યારે દિલ્હી પોલીસે વીડિયોની તપાસ કરી તો જાણવા મળ્યું કે, આ વીડિયો ફેસબુક, એક્સ સહિત ઘણા સોશિયલ પ્લેટફોર્મ પર છે.

આ પછી પોલીસે આ વીડિયોની ઝીણવટભરી તપાસ શરૂ કરી અને તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે આ વીડિયો ખોટી માનસિકતાથી બનાવવામાં આવ્યો હતો, જેના પછી પોલીસે આઈપીસીની કલમ ૧૫૩, ૧૫૩છ, ૪૬૫,૪૬૯, ૬૬ આઈટી એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો. આ વીડિયો બનાવનારા આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર જે લિંક પરથી આ વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે તે પણ પોલીસને કાર્યવાહી માટે આપવામાં આવી છે.

અમિત માલવિયાએ કહ્યું કે, ગૃહમંત્રી અમિત શાહનો નકલી વીડિયો અસ્મા તસ્લીમ સહિત કોંગ્રેસના ઘણા પ્રવક્તાઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. તેમણે કહ્યું કે અમે નકલી વીડિયો પોસ્ટ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરીશું. તમને જણાવી દઈએ કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે યુપીના એટામાં એક રેલીમાં કહ્યું હતું કે, તેમની પાર્ટી એસસી-એસટી અને પછાત વર્ગની અનામતને ન તો હટાવશે અને ન તો કોઈને હટાવવા દેશે અને આ મોદીની ગેરંટી છે. શાહે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે રાહુલ ગાંધી પર પછાત વર્ગના નામે જુઠ્ઠાણા ફેલાવવાનો આરોપ લગાવ્યો અને દાવો કર્યો કે તેઓ કહેતા હતા કે જાે ભાજપને ૪૦૦ સીટો આપવામાં આવશે તો તે અનામત ખતમ કરી દેશે. અમિત શાહે કહ્યું કે આ લોકોએ જૂઠ્ઠાણાની ફેક્ટરી ખોલી છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પાસે અનામત હટાવવા માટે બે ટર્મ માટે પૂર્ણ બહુમતી છે, પરંતુ પીએમ મોદી અનામતના સમર્થક છે.

Share This Article