ઝી બોલીવુડ તેની પહેલી બર્થ ડે ને સંપુર્ણ ફીલ્મી સ્ટાઈલમાં બ્લોકબસ્ટર મુવીઝ સાથે ઉજવણી કરે છે

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

૧૦૧% શુદ્ધ મસાલેદાર શૈલીઓથી ભરપુર, ઝી બોલીવુડ – ભારતની ૧૦૧% શુદ્ધ બોલીવુડ મુવી ચેનલ તેની ૧ વર્ષની સફળતાપુર્વકની સમાપ્તિને ૩૧ ઓગષ્ટ, ૨૦૧૯ના રોજ ઉજવે છે. ચેનલ દર્શકોને ‘મસાલો સે કુટ કુટ કે ભરી’ બ્લોકબસ્ટર મુવીથી મનોરંજીત કરે છે જે માત્ર ઉચ્ચ મનોરંજન નથી પરંતું તે દરેક માં ‘ફીલ્મી કીડા’ની પણ ઉજવણી કરે છે.તેની પહેલી એનીવર્સરી ની ઉજવણી શરૂઆત સંપુર્ણ ફીલ્મી સ્ટાઈલમાં કરતાં,  ઝી બોલીવુડ ઋત્વિક રોશનની બે સુપરહીટ્‌સ – કોઈ મીલ ગયા અને કહોના પ્યાર હૈને દર્શાવશે. આ બંન્ને મુવી યુવાનોને જ પસંદગીની મુવી નથી પરુતું દરેક ઉંમરના લોકોને પસંદ આવે તેવી મુવી છે. માટે, ખાસ પ્રસંગને ઉજવવા માટે આના થી વધુ સારી રીત કઈ હોઈ શકે કેમ કે બે સુપરહીટ રાકેશ રોશનની મનોરંજીત કરનારી મુવીને અમારા ખાસ તૈયાર કરેલા બકેટ ઓફ મસાલા મુવીઝમાં ઉમેરવામાં આવી રહી છે.

આ એક વર્ષની ઉજવણીને ભવ્ય બનાવવા, એક સોશીયલ મીડીયા કેમ્પેઈન ઈંકહોનાબર્થડેહૈ ને પણ શરૂ કરવામાં આવ્યું છે. ઝી બોલીવુડ એક ચેલેન્જ આપી રહ્યું છે જેનું નામ છે કહો ના બર્થ ડે ચેલેન્જ બોલીવુડ મસાલા મુવી બફ્‌સને ઝી બોલીવુડ હેપી બર્થ ડે ની શુભેચ્છા ઋતીક રોશનની સ્ટાઈલમાં પાઠવવા પડકાર ફેંકે છે.આ પ્રવૃત્તિના ભાગ રૂપે, ચાહકોએ તેમની એન્ટ્રી પોસ્ટ કરવાની જરૂર છે જ્યાં તેઓ ‘કોઈ મિલ ગયા’ અથવા ‘કહો ના પ્યાર હૈ’ ના હૂકસ્ટેપ્સ પર નૃત્ય કરી રહ્યા હોય ત્યારે ઈં કહો નાબર્થડેહેનનો ઉપયોગ કરીને જન્મદિવસની શુભેચ્છાઓ ગાઇ રહ્યા હોય. એકદમ ઝક્કાસ એન્ટ્રી સ્પોન્સર્ડ કપલ ટ્રીપ ટુ થાઈલેન્ડ જીતશે.

કોઈ મીલ ગયા ઝી બોલીવુડના બર્થ ડે ને ભારતમાં પહેલા એક્સ્ટ્રા-ટેરીસ્ટ્રાયલ લાવનારી ફીલ્મ છે…જે ૩૧ ઓગષ્ટ ના રોજ પ્રસારિત થવા તૈયાર છે. રાકેશ રોશન દ્વારા ડાયરેક્ટેડ, મુવીમાં ઋત્વિક રોશન રોહીત તરીકે અને પ્રિતિ ઝીન્ટા એ નિશા તરીકે પાત્ર ભજવી રહ્યાં છે, જેઓનો સામનો જંગલમાં એલીયન(જાદુ)નો સામે થાય છે.તેમને ખબર પડે છે કે એલીયન ખોવાઈ ગયો છે અને તે ડરેલો છે, તેઓ તેને સુરક્ષીત જગ્યાએ લઈ જાય છે, અને પછી જાદુના ચમત્કાર ચાલુ થાય છે. એક અઠવાડિયા પછી આવનાર,  ૭ સપ્ટેમ્બરના રોજ ૧૦૧% શુદ્ધ રોમાન્સ, એક્શન અને ડ્રામા થી ભરેલી ફિલ્મ – કહો ના પ્યાર હૈ. ઋત્વિક સાથે, મુવીમાં અમીષા પટેલની લીડ રોલ તરીકેની પહેલી મુવી હતી.રોહીત અને સોનીયાની આ કહાની છે જેઓ એકબીજાના પ્રેમમાં પાગલ છે, પણ તેમનો પ્રેમ ટુંક સમય માટે છે, કેમ કે રોહીત એક ગુનાનો સાક્ષી બને છે જે સોનીયાના પિતાને લગતો હોય છે. તેની તરત જ હત્યા કરવામાં આવે છે, અને સોનીયા, જે તે દુખ સહન ન કરી શકતા તેને ન્યુઝીલેન્ડ તેના પિતરાઈ ભાઈ જોડે મોકલી દેવામાં આવે છે. જેમ નસીબ જોર કરે છે, તે ફરીથી રોહીને ત્યાં મળે છે.

કહોના બર્થ ડે હૈ કેમ કે ઝી બોલીવુડ ઉજવણી કરે છે તેની પહેલી એનીવર્સરીની ૧૦૧% શુદ્ધ મનોરંજીત કોઈ મીલ ગયા અને કહો ના પ્યાર હૈ ને ૩૧ઓગષ્ટ અને ૭ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ પ્રસારીત કરીને.

Share This Article