અમદાવાદમાં 81 ટકા લોકો મોડા ઉંઘે છેઃ અભ્યાસ

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

લોકોની જીવન શૈલીમાં પરિવર્તનની સાથે વિશેષ રીતે શહેરમાં ઉંઘની ગુણવત્તામાં ધીમે-ધીમે ઘટાડો આવી રહ્યો છે. અમદાવાદમાં લોકોની ઉંઘનો સમય ન માત્ર ઘટાડા પર છે, પરંતુ વિભિન્ન ખલેલ ભલે તે ટાળી શકાય તેવી હોય કે ટાળી શકાય તેવી ન હોય તે સમયને પણ પ્રભાવિત કરી રહી છે, જ્યારે તેઓ અંતે ઉંઘી જાય છે. ઓછી અને અસુવિધાજનક ઉંઘના પરિણામસ્વરૂપ લોકો જેના બદલામાં લોકોના સ્વાસ્થ્યને વધારે છે તેવા ગાઢ ઉંધના લાભોને પ્રાપ્ત કરવામાં સક્ષમ હોતા નથી.

સેંટનરી મેટ્રેસ દ્વારા હાથ ધરાયેલા એક સર્વે અનુસાર અમદાવાદમાં ગેજેટ્સના વધુ ઉપયોગના કારણે 81 ટકાની આસપાસ લોકો મોડા સૂઈ રહ્યાં છે. તે ઓળખ કરવામાં આવી કે 26 ટકા લોકો મોડા ઉંઘે છે કારણ કે તેઓ પથારી પર લેપટોપ કે સ્માર્ટફોન પર કામ કરે છે, જ્યારે 28 ટકા લોકો પોતાના ગેજેટ્સ પર દેખાતા હોય છે. રસપ્રદ વાત એ છે કે અમદાવાદમાં 26 ટકા લોકો ઉંધવામાં મોડુ કરી રહ્યાં છે કારણ કે પથારી પર રહી પોતાના સોશિયલ મીડિયા ફીડ (ફેસબુક, ઇન્ટાગ્રામ, ચ્વિટર વગેરે)ને બ્રાઉસ કરે છે. ઘણા કારણોના પરિણામસ્વરૂપ અમદાવાદમાં 25 ટકા લોકોને કામ કરવા કે પરત આવવા દરમિયાન અઠવાડિયામાં 1-5 દિવસ ઉંધ આવે છે. આ સ્પષ્ટ રૂપથી દર્શાવે છે કે ગેજેટ લોકોની ઉંઘમાં એક મુખ્ય અવરોધ બની રહ્યાં છે.

 

Share This Article