અમદાવાદ સહિત રાજ્યમાં ફરીવખત ઠંડીનો ચમકારો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ  : આજે ફરીએકવાર તાપમાનમાં ફેરફારની સ્થિતિ રહી હતી. અમદાવાદ સહિત રાજ્યમાં એકાએક ઠંડીનો અનુભવ લોકોએ કર્યો હતો. સવારના ગાળામાં અને રાત્રિગાળામાં ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન ઉપર અપરએર સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ પ્રવર્તી રહી છે જેના લીધે વાતાવરણમાં ફેરફારની સ્થિતિ ગુજરાતમાં જાવા મળી રહી છે. કોલ્ડવેવની કોઇ ચેતવણી જારી કરવામાં આવી ન હોવા છતાં હજુ ઠંડીનું મોજુ રહે તેમ માનવામાં આવે છે. આજે ધુમ્મસના કારણે પોરબંદરથી મોતીહારી એક્સપ્રેસ ૩૧મી માર્ચ સુધી રદ કરવાની ફરજ પડી હતી.

આજે ગાંધીનગરમાં સૌથી ઓછું ૧૧.૨ ડિગ્રી તાપમાન રહ્યું હતું. આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૨.૪ ડિગ્રી રહ્યું હતું જ્યારે ડિસામાં ૧૧.૫, ગાંધીનગરમાં ૧૧.૨, વડોદરામાં ૧૬.૪, સુરતમાં ૧૭.૬, વલસાડમાં ૧૪.૬, અમરેલીમાં ૧૨ પારો રહ્યો હતો. જ્યારે નલિયામાં લઘુત્તમ તાપમાન ૧૩.૮ ડિગ્રી રહ્યું હતું. અમદાવાદમાં આવતીકાલે લઘુત્તમ તાપમાન આજની સરખામણીમાં ઘટી શકે છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી ૨૪ કલાકમાં લઘુત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર નહીં થાય પરંતુ ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો થઇ શકે છે.

આનો મતલબ એ થયો કે, ઠંડીની સિઝનની પૂર્ણાહૂતિના ગાળા દરમિયાન ફરીવાર લોકોને ઠંડીનો અનુભવ થશે અને લોકોને હાલમાં ગરમ વસ્ત્રો તૈયાર રાખવા પડશે. દિલ્હી અને એનસીઆરમાં વરસાદ તેમજ હિમાચલપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા થઇ રહી છે જેની અસર પણ જાવા મળી શકે છે. આજે કાશ્મીરમાં નવેસરથી હિમવર્ષા થઇ હતી. જા કે, ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં એકાએક વધારો થયો જેથી આજે દિવસ દરમિયાન લોકોમાં વાતાવરણને લઇને ચર્ચા જાવા મળી હતી. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી ૨૪ કલાકમાં તાપમાનમાં ફેરફાર નહીં થાય પરંતુ ત્યારબાદ તાપમાન ઘટશે.

Share This Article