વિકી કૌશલે કેમ નથી જોઇ સંજુ ?

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

બોલિવુડ અભિનેતા સંજય દત્તના જીવન પર બનેલી બાયોપિક ફિલ્મ સંજુ 29 જૂનના રોજ રિલીઝ થઇ હતી. ફિલ્મ રિલીઝ થયા બાદ રણબીર કપૂરની એક્ટિંગ અને રાજકુમાર હિરાણીના ડિરેક્શનને ખૂબ વખાણવામાં આવી. રણબીર કપૂર જેટલી જ ચાહના અને એક્ટિંગના વખાણ થયા હોય તો તે છે વિકી કૌશલ.

વિકી કૌશલ ફિલ્મમાં સંજય દત્તના ખાસ મિત્રના રોલમાં છે. સંજુ રિલીઝ થયા બાદ બોલિવુડના લોકોએ સંજુ જોઇ અને પ્રશંસા કરી છે. જે વ્યક્તિ પર ફિલ્મ બની છે તે સંજય દત્તે પણ આ ફિલ્મ જોઇ અને રડી પડ્યા હતા. રણબીર કપૂરને ગળે લગાડીને લાંબા સમય સુધી તેને છોડ્યો નહોતો. ત્યારે ફિલ્મના ખાસ પાત્ર કમલેશ એટલે કે વિકી કૌશલે કેમ હજૂ સુધી ફિલ્મ જોઇ નથી.

તેના જવાબમાં વિકી કૌશલે કહ્યુ હતુ કે તે અત્યારે સર્બિયામાં છે. તેમની આગામી ફિલ્મ ઉરીનું શૂટિંગ ત્યાં થઇ રહ્યુ છે. સર્બિયામાં બોલિવુડ ફિલ્મ રિલીઝ નથી થતી માટે વિકી કૌશલે હજૂ સુધી સંજુ જોઇ નથી. જ્યારે તે સર્બિયાથી પરત ભારત આવશે ત્યારે સૌથી પહેલા સંજુ જોશે.

Share This Article