શેનાથી લક્ષ્મી દુર જાય છે..

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

સુખ અને દુ:ખ માણસે કરેલા કર્મોનું ફળ છે. હિન્દુ ધર્મ એટલે ભક્તિ. દરેક હિન્દુ પૂજા-પાઠ કરતો જ હોય છે. ગીતામાં કહ્યું છે કે જેવા કર્મ કરશો તેવું જ ફળ મળશે. વાસ્તુ, આધ્યાત્મ અને જ્યોતિષ વિદ્યા હિન્દુ ધર્મ સાથે સંકળાયેલા છે. આ દરેક વસ્તુ વ્યક્તિને સુખી અને સફળ બનાવવા માટે રચાયેલી છે. અજાણતા કરેલા એવા ઘણા કાર્યો દુ:ખનું કારણ બની શકે છે. એવા જ ઘણા કાર્યો કરવાથી લક્ષ્મી દુર જાય છે, તો આવો જાણીએ ક્યા કાર્યો કરવાથી લક્ષ્મી દુર જાય છે.

  • તમારા ઘરના મુખ્ય દ્વારની સામે કચરો ના રાખવો, અને ત્યાં પાણી પણ એકત્ર ન થવા દેવું. આવુ કરવાથી પાડોશી પણ શત્રુ બની જોય છે.
  • રાત્રે સુતા પહેલા રસોડામાં પાણીની ડોલ ભરીને રાખો, તેનાથી ઘરમાં સમૃદ્ધીનો વાસ રહે છે. ખાલી ડોલ ઘરમાં તણાવ અને ચીંતા લઇને આવે છે.

kp.comkitchen

  • સુર્યાસ્ત બાદ કોઇના ઘરે ડુંગળી, દૂઘ, દહી, મીઠુ લેવા ન જાઓ, આનાથી જીવનમાં મુશ્કેલીઓ વધે છે.
  • જ્યારે યાત્રા માટે નીકળો છો તો ઘરના દરેક સભ્યોએ સાથે ના નીકળવું, આવું કરવાથી ઘરની લક્ષ્મી અને યશનો નાશ થાય છે.
  • માળીયામાં જૂના માટલા કે ટૂટેલા ઘડા ના રાખવા, ખાસ કરીને રસોઇના માળીયા પર ના રાખવા.
  • ક્યારેય કોઇની ગરીબી કે અપંગતાની મજાક ના બનાવો અને તેની નકલ પણ ના કરો. કોઇની લાચારીની મજાક ઉડાવવાથી લક્ષ્મીજી નારાજ થાય છે.

kp.commirror

  • ટૂટેલા અરીસાને ઘરમાં ના રાખવો અને ટૂટેલા કાંસકાનો પણ ઉપયોગ ના કરવો જોઇએ, આનાથી નકારાત્મકતાનો પ્રવેશ થાય છે.

લક્ષ્મીજીને સદાય ઘરમાં વાસ કરાવવો હોય તો આટલી બાબતોનું ધ્યાન રાખવું જોઇએ.

TAGGED:
Share This Article