કેમ રશિયન એરલાયન્સે ૧૮થી ૬૫ વર્ષની વચ્ચે ઉંમરના પુરૂષો માટે ટિકિટ બુક પર લગાવ્યો પ્રતિબંધ?!…

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

વ્લાદિમીર પુતિનની આર્થિક ઘેરાબંધીની જાહેરાતની અસર યુક્રેન અને પશ્ચિમી દેશોમાં પડે કે નહીં તે ભવિષ્યની વાત છે, પરંતુ રશિયા પર દેખાવા લાગી છે. પુતિનની જાહેરાતથી ડરેલા રશિયન લોકો દેશ છોડી રહ્યાં છે. રશિયાથી બજાર જતી તમામ ઉડાનો લગભગ બુક થઈ ચુકી છે. આ વચ્ચે રિપોર્ટ સામે આવ્યો છે કે રશિયન એરલાયન્સે ૧૮થી ૬૫ વર્ષની વચ્ચે ઉંમરના પુરૂષો માટે ટિકિટ બુક પર પ્રતિબંધ લગાવી દીધો છે. એરલાયન્સને ડર છે કે દેશમાં ગમે ત્યારે માર્ગશ લો લાગૂ કરી શકાય છે. હકીકતમાં, પુતિને આર્થિક ગતિશીલતા પર હસ્તાક્ષર કરીને જાહેરાત કરી છે કે અનામતવાદીઓ તૈનાત કરવામાં આવશે. રશિયાથી બહાર જતી તમામ ઉડાનો બુક થઈ ગઈ છે.

રશિયાની લોકપ્રિય વેબસાઇટ એવિએલેસ અનુસાર આર્મેનિયા, જોર્જિયા, ઉઝરબૈઝાન અને કઝાકિસ્તાનની આસપાસના દેશોના શહેરો માટે સીધી ઉડાનો બુધવાર સુધી બુક થઈ ગઈ. ટર્કિશ એરલાયન્સે પોતાની વેબસાઇટ પર કહ્યું કે ઇસ્તામ્બુલ માટે ઉડાનો, જે રશિયાથી આવવા-જવાનું એક મહત્વપૂર્ણ યાત્રા કેન્દ્ર છે, શનિવાર સુધી એડવાન્સ બુકિંગ થઈ ગયું છે.  ઘણા સમાચાર આઉટલેટ અને પત્રકારોએ ટિ્‌વટર પર કહ્યું કે રશિયન એરલાયન્સે ૧૮થી ૬૫ (રશિયન સરકાર પ્રમાણે, યુદ્ધમાં ભાગ લેનારાની ઉંમર) ના પુરૂષોને ટિકિટ વેચવાનું બંધ કરી દીધું છે, તે ડરથી કે માર્શલ લો લાગૂ કરી શકાય છે. ફોર્ચ્યૂને એક રિપોર્ટમાં કહ્યું કે રશિયાના રક્ષા મંત્રાલય પાસેથી મંજૂરી હાસિલ કરનાર યુવાઓને દેશ છોડવાની મંજૂરી હશે. 

આઉટલેટે આગળ કહ્યું કે એવી સંભાવના છે કે આ સપ્તાહના અંતમાં લુહાન્સ્ક અને ડોનેટ્‌સ્ક પ્રાંતોમાં જનમત સંગ્રહ આયોજીત કરવામાં આવશે જેથી પુતિનને યુક્રેનના તે ભાગને સત્તાવાર રૂપે જોડવા અને તેને સત્તાવાર રશિયન ક્ષેત્ર બનાવવાનો અવસર મળી શકે. બુધવારે પુતિનના સંબોધન બાદ રશિયાના રક્ષા મંત્રી સર્ગેઈ શોઇગુએ દાવો કર્યો કે ૩ લાખ પુરૂષોને સેવા માટે બોલાવવામાં આવ્યા છે. રશિયાનું યુક્રેનમાં વિશેષ સૈન્ય અભિયાન છ મહિનાથી ચાલી રહ્યું છે, જેમાં હજારો લોકોના જીવ ગયા છે અને લાખો લોકો વિસ્થાપિત થઈ ચુક્યા છે. પરંતુ પુતિન હજુ યુદ્ધ રોકવાનો ઇનકાર કરી રહ્યાં છે. તેમણે પશ્ચિમી દેશો પર બ્લેકમેલ અને ડરાવવા-ધમકાવવાનો આરોપ પણ લગાવ્યો છે.

Share This Article