તમે રોજિંદા વપરાશમાં લેવાતી ઘણી વસ્તુઓ જોઈ હશે, પરંતુ જ્યારે તમે તેને ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે ઘણી એવી વસ્તુઓ હોય છે, જેને આપણે રોજ વાપરતા હોવા છતાં, તેની પાછળનું કારણ સમજવાનો પ્રયત્ન કરતા નથી. આવી જ એક વસ્તુ છે. તમે ચલણમાં વાપરો છે, એ ચલણી નોટ. જી હા તમે ક્યારેય ચલણી નોટને ધ્યાનથી જોય હોય તો નોટની સાઇડમાં ત્રાંસી લીટીઓ બનાવેલી હોય છે, શું તમને ખબર છે કે, આ ત્રાંસી લીટીઓ શા માટે બનાવેલી છે અને તેની પાછળનું કારણ શું છે?
નોટ પર બનેલી આડી લાઈન પર તમારું ધ્યાન જરૂરથી ગયું હશે. ખાસ વાત એ છે કે નોટની કિંમતના હિસાબથી તેની સંખ્યા ઘટતી-વધતી રહે છે. આવો જાણીએ 100, 200, 500 અને 2000ની નોટ પર બનેલી આ લાઈનનો શું અર્થ છે? ચાલો અમે તમને તેના વિશે જણાવીએ.
એક કામ કરો. તમારા પાકીટમાંથી 100 રૂપિયાની નોટ કાઢો. તે નોટની ધાર જુઓ. તમને ત્યાં ત્રાંસી લાઈનો દેખાશે. હવે 200 અને 500 રૂપિયાની નોટો કાઢો અને તેમની ધાર પણ જુઓ. તમને આ બંને નોટો પર પણ ત્રાંસી લાઈનો દેખાશે. શું તમે જાણો છો કે નોટો પર આ લાઈનો શા માટે હોય છે?
100 રૂપિયાની નોટમાં દરેક બાજુ ચાર લાઈનો હોય છે. 200 રૂપિયાની નોટમાં પણ દરેક બાજુ ચાર લાઈનો હોય છે, જેની વચ્ચે બે વર્તુળો હોય છે. હવે 500 રૂપિયાની નોટ વિશે વાત કરીએ. 500 રૂપિયાની નોટમાં દરેક બાજુ પાંચ લાઈનો હોય છે, અને આ બધી લાઈનો ત્રાંસી હોય છે.
નોટ પર બનેલી આ લાઈનને ‘બ્લીડ માર્ક્સ’ કહેવામાં આવે છે. આ બ્લીડ માર્ક્સ ખાસ કરીને પ્રજ્ઞાચક્ષુ લોકો માટે બનાવવામાં આવે છે. નોટ પર બનાવેલી આ લાઈનને ટચ કરી તેઓ જાણી શકે છે કે આ કેટલા રૂપિયાની નોટ છે. તેથી 100, 200, 500 અને 2000 ની નોટ પર અલગ-અલગ સંખ્યામાં લાઈન બનાવવામાં આવે છે અને આ લાઈનની મદદથી અંધ વ્યક્તિ તેની કિંમત જાણી શકે છે.
