જુનાગઢ : સતાધાર જગ્યાને લઈને ચાલી રહેલા વિવાદમાં મોટો ખુલાસો થયો છે. જેમાં આપાગીગાના વંશજ મોટાભાઈ સવંતે ખુલાસો કર્યો છે. મહંત વિજય બાપુના મોટાભાઈ નિતીન ચાવડાએ પૈસાની માંગણી કરી હોવાનું જાણવા મળ્યું છે. આ જગ્યા બદનામ કરવા માટે ચાર જણા કાવતરા કરી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. જેમાં બાપુ પાસે પૈસા પડાવવા માટે નિતીન ચાવડા 2019થી પત્રો લખી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. નિતીને એસબીઆઈના ખાતા નંબરમાં જમા કરાવવા માંગણી કરી હતી. જેમાં રૂપિયા બે કરોડ રૂપિયાની માતબાર રકમની માંગણી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ પૈસા ન આપ્યા હોવાથી બાપુ અને જગ્યાને બદનામ કરી રહ્યા હોવાનું કહેવાય છે. તેમણે હજી નિતીન ચાવડાને તક આપીએ છે એમ કહ્યું હતું. નહીતર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, એવું નિવેદન આપાગીગાના વંશજ મોટાભાઈ સવંતએ આપ્યું છે.
Renault દ્વારા નવુ ડિઝાઇન સેન્ટર ખોલવામા આવ્યુ, ભારતમાં ‘renault. rethink’ પરિવર્તનશીલ વ્યૂહરચનાના પ્રારંભને ચિન્હીત કરે છે
Renault ઇન્ડિયાએ પોતાના બ્રાન્ડ પરિવર્તનશીલ વ્યૂહરચના ‘renault. rethink’ની ઘોષણા કરી છે, જે ભારતમાં તેની આંતરરાષ્ટ્રીય ગેમપ્લાન 2027ના અમલીકરણ પરત્વેનું આગવુ...
Read more