HCએ કેજરીવાલને શું કહ્યુ ?

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

દિલ્હીમાં ચાલી રહેલા સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે ચાલી રહેલા વિવાદમાં હવે દિલ્હીની હાઇકોર્ટે ટિપ્પણી કરી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છેલ્લા સાત દિવસથી હળતાળ પર છે. ત્યારે હવે દિલ્હીની હાઇકોર્ટે ટિપ્પણી આ હળતાળ પર ટિપ્પણી કરી છે. હાઇકોર્ટે કહ્યું છે કે ખબર નથી પડી રહી આ હળતાળ છે કે ધરણા છે અથવા પહેલેથી જ નક્કી કરવામાં આવ્યુ હતુ.

શું ઉપરાજ્યપાલના ઘરની અંદર ધરણા કરવા માટે તમે પરમીશન લીધી હતી.. કેવી રીતે કોઇના ઘરમાં કે ઓફિસમાં ઘૂસીને ધરણા કરી શકે છે.

હાઇકોર્ટે કહ્યું હતુ કે આ કોઇ ટ્રેડ યુનિયન જે રીતે પોતાની માંગને લઇને હળતાળ પર બેસે છે તેવી જ રીતનું કામ છે. જલ્દીથી જલ્દી આ સમસ્યાનું સમાધાન લાવો. કોર્ટે જલ્દી જ આ હળતાળને બંધ કરવા માટે કહ્યું છે.

એક મુખ્યમંત્રી દર નાની નાની વાતે હળતાળ પર ઉતરી જાય તે યોગ્ય નથી. ઉલ્લેખનિય છે કે અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી લખીને આ બાબતમાં દખલ લેવા માટે કહ્યું હતું. હવે હાઇકોર્ટે જ તેમના મામલામાં દખલ લઇને જલ્દી આ હળતાળને બંધ કરવા માટે કહ્યું છે.

Share This Article