વિશ્વના પાંચમાં સૌથી ધનિક વ્યકિત વોરેન બફેટે સીઇઓ પદથી નિવૃત્ત થવાની જાહેરાત કરી

Rudra
By Rudra 1 Min Read

વિશ્વના પાંચમાં સૌથી ધનિક વ્યકિત અને બિઝનેસમેન વોરેન બફેટ દ્વારા અચાનક પોતાની કંપની બર્કશાયર હેથવેના સીઇઓ પદથી નિવૃત્ત થવાની જાહેરાત કરી છે.

૯૪ વર્ષની ઉંમરના અબજપતિએ કંપનીની જવાબદારી અન્યને સોંપવાની જાહેરાત કરી છે. કંપની વાર્ષિક બેઠકમાં તેમણે પોતાની નિવૃત્તિ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે હવે એ સમય આવી ગયો છે કે તે આ વર્ષના અંતમાં પોતાના પદેથી નિવૃત્ત થઇ જશે.

કંપનીના હાલના ઉપાધ્યક્ષ ગ્રેગ એબેલ બર્ક શાયરના નવા સીઇઓ હશે. 62 વર્ષીય એબેલ 2018થી બર્કશાયરના ઉપાધ્યક્ષ છે અને તે નોન ઇન્સ્યોરન્સ બિઝનેસનું નેતૃત્ત્વ કરી રહ્યાં છે.
બર્કશાયરમાં 60 વર્ષથી વધુની પોતાની કારકિર્દી સમાપ્ત કરવાની જાહેરાત અબજપતિ વોરેન બફેટે ઓમાહામાં બર્કશાયરની વાર્ષિક બેઠકમાં કરી હતી. વાર્ષિક બેઠકને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે મને લાગે છે કે હવે સમય આવી ગયો છે ચાલુ વર્ષના અંત સુધીમાં કંપનીને નવો સીઇઓ મળી જાય.

કંપની ની વાત કરીએ તો, બર્કશાયર હેથવેનું માર્કેટ કેપિટલાઇઝેશન 1.16 ટ્રિલિયન છે. પોતાની નિવૃત્તિની જાહેરાત સાથે જ 94 વર્ષીય અબજપતિએ એ પણ સ્પષ્ટ કરી દીધુ કે તે બર્થશાયર હેથવેેના શેરહોલ્ડર બની રહેશે. તેઓ કંપની માટે સલાહકારની ભૂમિકામાં સામેલ રહેશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે હાલમાં બર્કશાયરનો એક પણ શેર વેચવાનો મારો ઇરાદો નથી અંતમાં હું તેને દાનમાં આપી દઇશ.

Share This Article