અમદાવાદ : અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરમાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરજાેશમાં ચાલી રહી છે. એક ૧૦૮ ફૂટ લાંબી અગરબત્તી, જે અભિષેક પ્રસંગે પ્રગટાવવામાં આવવાની છે, તે પણ ગુજરાતના વડોદરા શહેરમાંથી રવાના કરવામાં આવી છે. આ પછી વડોદરાથી અયોધ્યા માટે એક વિશાળકાય દીપ પણ મોકલવામાં આવશે. આ બધા વચ્ચે વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ ગુજરાત સરકાર સમક્ષ માંગણી કરી છે. આમાં VHPએ રામ મંદિર નિર્માણમાં ગુજરાતના યોગદાનને રેખાંકિત કર્યું છે અને કહ્યું છે કે અયોધ્યામાં અભિષેકના દિવસે એટલે કે ૨૨ જાન્યુઆરીએ રાજ્યમાં રજા જાહેર કરવામાં આવવી જાેઈએ. VHPના વરિષ્ઠ નેતા અશોક રાવલે જણાવ્યું હતું કે અમે ઇચ્છીએ છીએ કે ગુજરાત સમગ્ર દેશમાં આ પહેલ કરે અને આ દિવસે તમામ શાળાઓ, કોલેજાે અને ઓફિસો બંધ રાખવામાં આવે, જેથી દરેક અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા લાઈવ જાેઈ શકે. વિશ્વ હિન્દુ પરિષદની માંગને ગુજરાતના શક્તિશાળી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો. સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોએ કહ્યું છે કે જાે આમ થશે તો આવનારી પેઢીઓ આ પ્રસંગના સાક્ષી બની શકશે. સંતોનું કહેવું છે કે આ અવસરે શક્ય તેટલી વધુ જગ્યાએ પ્રાણ પ્રતિષ્ઠા લાઈવ બતાવવાની વ્યવસ્થા કરવી જાેઈએ. સરકાર દ્વારા કાર્યક્રમો યોજવા જાેઈએ. VHP નેતા અશોક રાવલે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે હું વિશ્વ હિંદુ પરિષદ વતી સરકાર પાસે રજા જાહેર કરવાની માંગ કરીશ. ૨૨મી જાન્યુઆરી સોમવાર છે. એવી અટકળો છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અભિષેક કાર્યક્રમમાં હાજરી આપશે, જાેકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
Renault દ્વારા નવુ ડિઝાઇન સેન્ટર ખોલવામા આવ્યુ, ભારતમાં ‘renault. rethink’ પરિવર્તનશીલ વ્યૂહરચનાના પ્રારંભને ચિન્હીત કરે છે
Renault ઇન્ડિયાએ પોતાના બ્રાન્ડ પરિવર્તનશીલ વ્યૂહરચના ‘renault. rethink’ની ઘોષણા કરી છે, જે ભારતમાં તેની આંતરરાષ્ટ્રીય ગેમપ્લાન 2027ના અમલીકરણ પરત્વેનું આગવુ...
Read more