વિરાટ અને અનુષ્કા બંધાયા સપ્તપદીના સાત વચને

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

વિરાટ અને અનુષ્કા બંધાયા સપ્તપદીના સાત વચને

વિરાટ + અનુષ્કા = વિરૂષ્કા

ખબરપત્રીઃ છેલ્લા કેટલાંય સમયથી સેલિબ્રેટી કપલ ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલી અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માના લગ્નને લઇને અનેક અહેવાલો જોવા મળી રહ્યાં છે, ત્યારે આ કપલે ઇટલી ખાતે સપ્તપદીના બંધને બંધાઇ ગયા છે. જે અંગે અનુષ્કા શર્માએ પોતાના ચાહકોને શોસિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.

Vinushka 02

આ અંગે અનુષ્કાએ શોસિયલ મીડિયા પર પોસ્ટ કરી જણાવ્યું, આજે અમે બંન્નેએ એકબીજાને પ્રેમના બંધનમાં બંધાયાનું વચન આપ્યું છે. અમે આ સમાચાર આપની સાથે શેર કરી ખરેખર આશાર્વાદ મેળવી રહ્યાં છીએ. આ સુદર દિવસને અમારા ચાહકો અ શુભચિંતકોના પ્રેમ અને સહકાર સાથે વધુ વિશેષ બનાવવામાં આવ્યો. અમારી આ સફરમાં મહત્વપૂર્ણ ભાગ બનવા માટે આપ સૌનો આભાર.

VINUSHKA 01

“Today we have promised each other to be bound in love forever. We are truly blessed to share the news with you. This beautiful day will be made more special with the love and support of our family of fans & well wishers. Thank you for being such an important part of our journey.”

વિરાટ કોહલી અને અનુષ્કા દુલ્હા-દુલ્હન તરીકે ખૂબ જ આંકર્ષક અને સુંદર દેખાઇ રહ્યા હતા.

Share This Article