અમદાવાદ : ગુજરાતનાં સંગીતની ધરોહર જાળવતું, તેને આગળ વધારતું તેમજ તેને હાલનાં સંગીત સાથે જોડી સેતુનું કાર્ય કરતું જે નામ મોખરે આવે, એ છે “વારસો”. પ્રિયા સરૈયાનાં સપના અને મહેનતનું ફળ એટલે “વારસો”. આરંભથી જ વારસો થકી ગુજરાતી સંગીતનો મિજાજ બદલાયો તેમ લાગે છે. કોક સ્ટુડિયોની જેમ વારસો પણ ગુજરાતી સંગીતને લોકો સુધી અનોખી રીતે પહોંચાડે છે. એવું સંગીત જે કર્ણપ્રિય પણ છે, લોકભોગ્ય પણ છે અને સાથે અત્યારની પેઢી શોખથી સાંભળી શકે તેવું છે. તેમાં લોક સંગીત, ફ્યુઝન અને આધુનિકતાનો સુંદર સમન્વય છે. “વારસો”ની બંને સીઝનની સ્મારક સફળતા બાદ, પ્રિયા સરૈયાએ “વારસો 3” નું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રિયા સરૈયા, ગીતાબેન રબારી, ભાવના બેન લાબડીયા, કીર્તિ સાગઠીયા, અઘોરી મ્યુઝિક – (ક્રુઝ, કે ડીપ અને હાર્ડ ડી), જય માવાણી ઉપસ્થિત રહ્યાં હતા.
પ્રિયા સરૈયાનાં સાતત્યને ધન્ય છે કે પહેલી બંને સીઝન પછી હવે તેઓ “વારસો 3″નું લોકાર્પણ કરવા સજ્જ છે. “વારસો 3” માં ગુજરાતનાં કલાકારોની સાથે હાથ મિલાવ્યા છે હિંદી સિનેજગતનાં કલાકારોએ. “વારસો 3″માં આપણે મૌલિક ગીતોની સાથે લોકગીતોને નવા સ્વરૂપે પણ માણીશું. “વારસો 3″નાં કલાકારોનાં નામ છે, શંકર મહાદેવન, શ્રેયા ઘોષાલ, આદિત્ય ગઢવી, કીર્તિ સાગઠિયા, ગીતાબેન રબારી, ભાવનાબેન લાબડિયા, અઘોરી મ્યુઝિક તથા પ્રિયા સરૈયા.
21 માર્ચ, 2025ના રોજ રજૂ થયેલ “વારસો 3” એ ટ્રેડિશનલ ફોક મેલોડીઝ અને નવીન રચનાઓનું મનમોહક મિશ્રણ છે જે વિશ્વભરના પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવાનું વચન આપે છે. આ આલ્બમમાં “પ્રથમ પહેલા” ગીત શંકર મહાદેવન દ્વારા કમ્પોઝ કરાયું છે અને શબ્દો છે પ્રિયા સરૈયાના. “પ્યારો લાગે” ગીત પ્રિયા સરૈયા અને ગીતાબેન રબારીના અવાજમાં સ્વરબદ્ધ છે. “ભેળીયો” ગીત અઘોરી મ્યુઝિક દ્વારા ગાવામાં આવ્યું છે. “આવી રુડી” ગીત કીર્તિ સગાઠિયા અને પ્રિયા સરૈયા દ્વારા ગાવામાં આવ્યું છે. “મારા હરિ ને” ગીત ભાવનાબેન લાબડીયા અને શ્રેયા ઘોષાલ દ્વારા ગાવામાં આવ્યું છે. “વરસાદ” સોન્ગ આદિત્ય ગઢવી અને પ્રિયા સરૈયાના મધુર અવાજમાં સ્વરબદ્ધ છે. આ તમામ સોન્ગના વિડીયો અને ડિઝાઇન 32 ફરવરી પ્રોડક્શન દ્વારા કરવામાં આવ્યું છે.
“વારસો 3” માત્ર સંગીતનો પ્રયાસ નથી; તે ગુજરાતી સંગીતના કાયમી વારસા અને તેના કલાકારોની અમર્યાદ સર્જનાત્મકતાનો પુરાવો છે. આ આલ્બમ દ્વારા, પ્રિયા સરૈયા શ્રોતાઓને શોધની સફર શરૂ કરવા આમંત્રણ આપે છે, જ્યાં દરેક ટ્રેક ગુજરાતના સમૃદ્ધ વારસાની ભાવના પર પ્રકાશ પાડે છે.
“વારસો”ની દરેક સિરીઝ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરે છે. તે ગુજરાતની સાંસ્કૃતિક પાવરહાઉસ તરીકેની સ્થિતિને પુનઃપુષ્ટ કરે છે અને ગુજરાતી સંગીતમાં નવીનતા અને ઉત્કૃષ્ટતાના નવા યુગની શરૂઆત કરે છે.