ઉન્નાવ રેપ કેસ : તમામ કેસો દિલ્હીમાં ખસેડવાનો આદેશ

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે સમગ્ર દેશને હચમચાવી મુકનાર ઉન્નાવ ગેંગ રેપ કેસ સાથે જાડાયેલા તમામ મામલાને ઉત્તરપ્રદેશમાંથી દિલ્હી ખસેડી દેવાનો આજે કઠોર આદેશ આપ્યો હતો. સાથે સાથે આ મામલે જે રીતે પ્રગતિ થઇ રહી છે તેને લઇને નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે સુનાવણી કરતી વેળા આ મામલામાં હજુ સુધી થયેલી તપાસ અને રાયબરેલીમાં આ સપ્તાહમાં થયેલી માર્ગ દુર્ઘટનાને લઇને માહિતી માંગી છે. કોર્ટે ઉન્નાવ કેસ સાથે સંબંધિત તપાસના સ્ટેટસ રિપોર્ટ અને એક્સીડેન્ટ કેસમાં હજુ સુધી થયેલી સીબીઆઇ તપાસની વિગત આપવા માટેનો આદેશ કર્યો છે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇના નેતૃત્વમાં બેંચે સોલિલિટર જનરલ તુષાર મહેતાને કહ્યુ હતુ કે સીબીઆઇના કોઇ અધિકારીને પણ હાજર કરવામાં આવે તે જરૂરી છે.

સોલિસિટર જનરલ મહેતાએ સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરતા કહ્યુ હતુ કે આ મામલાની તપાસ સીબીઆઇને સોંપી દેવામાં આવી છે. સોલિસિટર જનરલે સુપ્રીમ કોર્ટમાં કહ્યુ હતુ કે મામલાની તપાસ કરી રહેલા સીબીઆઇ અધિકારી લખનૌમાં છે. આવી સ્થિતીમાં તેઓ બપોર સુધી આવી શકે તેવી સ્થિતી મુશ્કેલ છે.

સુપ્રીમ કોર્ટે આ રજૂઆત થયા બાદ પણ આક્રમક વલણ અપનાવ્યુ હતુ. સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે તપાસ અધિકારી પાસેથી ફોન પર પૂર્ણ જાણકારી મેળવીને કોર્ટમાં આ જાણકારી રજૂ કરવામાં આવે તેમ સીબીઆઇના ડિરેક્ટરને આદેશ કરવા માટે કહ્યુ હતુ. સુપ્રીમ કોર્ટે સીબીઆઇને કહ્યુહતુ કે જા તેઓ તપાસ રિપોર્ટ જાહેર કરવા માંગતા નથી તો તેઓ બંધ બારણે સમગ્ર મામલાની તપાસ કરી શકે છે.

સુપ્રીમ કોર્ટે આગામી સુનાવણી વેળા સોલિલિટર જનરલ અને સીબીઆઇ અધિકારીને હાજર રહેવા માટે આદેશ કર્યો છે. સીજેઆઇએ કહ્યુ છે કે સુપ્રીમ કોર્ટ તમામ કેસોને લખનૌથી દિલ્હીમાં ટ્રાન્સફર કરનાર છે.

Share This Article